મથુરા જનપદના વૃંદાવનમાં વાંદરાઓના આંતકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વાત એમ છે કે વાંદરાઓના હુમલાના શિકાર થયેલા જનપદના એક કપડા વેપારીએ તેનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી જિલ્લા વહીવટીય તંત્રને વાંદરાઓના આંતકની સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (6 જૂલાઇ) ને ગોવિંદે બાગ નિવાસી નિકુંજ ગોયલ લોઇ બજાર સ્થિત પોતાની કપડાની દુકાનથી જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ઘરની સામે વાંદરાઓએ તેમના પર હુમલો કરી દીધો છે.
પીઠ અને હાથ પર કર્યા ઘાયલ
વીડિયો મુજબ, વેપારીએ બે વાર ઉઠીને ઘરમાં ઘુસવાની કોશિશ કરી હતી. વાંદરાઓએ પીઠ, હાથ પર ઘણી જગ્યાઓ પર ઘાયલ કરી દીધા હતા. નિકુંજ ગોયલે ખુબ જ મુશ્કેલીથી વાંદરાઓના આંતકથી છુટકારો મેળવીને ઘરમાં ઘુસીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવ બાદ તેમના પરિવારે તેમને પાસેના ક્લીનીકમાં તેમને ઉપચાર માટે લઇ ગયા હતા.