ભાજપાના પૂર્વ નેતા તથા આરએસએસ (RSS) વિચારક કેએન ગોવિંદાચાર્યના અયોધ્યા વિવાદ મામલાની આગામી કાર્યવાહી લાઇવ સ્ટ્રીમિંગ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે અયોધ્યા વિવાદને દૂર કરવાની મધ્યસ્થતાની પ્રક્રિયા અસફળ રહી અને કોઇ સૌહાર્દપૂર્ણ સમાધાન ન મળ્યું.
પરિણામસ્વરૂપ સુપ્રીમ કોર્ટ 6 ઓગસ્ટથી રોજ સુનાવણી શરૂ કરશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે પૂર્વ ન્યાયાધીશ એફએમઆઇ કલીફુલ્લાની અધ્યક્ષતામાં આઠ માર્ચે રચવામાં આવી હતી. તથા ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રિપોર્ટ ધ્યાનમાં લઇ આ વિવાદનો સર્વમાન્ય ઉપાય શોધવાનો પ્રયાસ નિષ્ફળ થઇ ગયો.
જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી આ સમિતિએ લગભગ ચાર મહીના સુધી મધ્યસ્થથાના માધ્યમથી આ વિવાદનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યસ્થતા સમિતિએ આ વિવાદનું સમાધાન શોધવા માટે અયોધ્યાથી લગભગ 7 કિલોમીટર દૂર ફેજાબાદમાં બંધ રૂમમાંથી સંબંધિત પક્ષો સાથે વાતચીત કરી હતી. સંવિધાન પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ ધનન્જય વાઇ ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે.
પીછે કહ્યું કે, ' આપણે મધ્યસ્થતા સમિતિના અધ્યક્ષ જસ્ટિસ કલીફૂલ્લા દ્વારા રજૂ કરવામાં આવેલી રિપોર્ટ મળી છે. અમે તેનું અવલોકન કર્યું છે. મધ્યસ્થતા કાર્યવાહીથી કોઇપણ પ્રકારે અંતિમ સમાધાન નીકળ્યું નથી. તેથી આપણે લંબીત અપીલ પર સુનાવણી કરવી પડશે જે 6 ઓગસ્ટથી શરૂ થશે.'