કોરોનાની પહેલી લહેરમાં હોસ્પિટલોમાં બેડ્સની સંખ્યા વધારાઈ હતી પણ પછી લહેર ધીમી પડતા બેડ્સની સંખ્યા ઘટાડી દેવાઈ પરિણામે યુપીમાં હાહાકાર મચી ગયો.
યુપીમા પહેલી લહેરમા બેડની સંખ્યા વધારી
કેસો ઘટતા બેડસની સંખ્યા ઓછી કરી નાખી
બીજી લહેરમાં બેડ્સ ઓછા પડતા ટપોટપ પડવા માંડી લાશો
મીડિયા રિપોર્ટ અનુસાર યુપીમાં હોસ્પિટલમાં બેડ્સની સંખ્યા ખૂટી છે. દર્દીઓને પાછા કાઢી મૂકવામાં આવી રહ્યાં છે. ઘરોમાં આઈસોલેટ થયેલા દર્દીઓને ઓક્સિજન મળતો નથી. હોસ્પિટલોમાં પણ ઓક્સિજન માટા મારામારી છે.
સેંકડોની સંખ્યામાં મોત થતા યુપી સરકારે જેમ તેમ કરીને બેડોની સંખ્યા વધારી દીધી. જો યુપી સરકારે પહેલેથી સચેત રહી હોત તો કદાચ આટલા બધા દર્દીઓના જીવ ન ગયો હોત.
પહેલી લહેરમાં 1.50 લાખ બેડની વ્યવસ્થા
યુપીમાં કોરોનાની પહેલી લહેરમા રાજ્યની 500 હોસ્પિટલોમાં 1.5 લાખની બેડની વ્યવસ્થા હતી. સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી. કોવિડ મેનેજમેન્ટ પણ કરાયું પરંતુ આ લહેરમાં આવું કોઈ પણ કામ ન થયું જેને પરિણામે સેંકડો દર્દીઓના મોત થયા.
સારવારની આ વ્યવસ્થા કરાઈ
યોગી સરકારે દોઢ લાખ બેડ માટે ત્રણ સ્તરીય સારવારની વ્યવસ્થા કરી હતી. તેમાં 25 એલ-3 હોસ્પિટલ બનાવાઈ. આ હોસ્પિટલોમાં વેન્ટિલેટર, આઈસીયુ અને ડાયાલિસિસ સહિતની તમામ આધુનિક સુવિધાઓ હતી. 400 કરતા વધારે હોસ્પિટલોને પહેલા સ્તરમાં રાખવામાં આવી. એલ-2 કેટેગરીમાં 75 હોસ્પિટલોને રાખવામાં આવી જેમાં ઘણા બેડ ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર હતા. પરંતુ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવ્યો એટલે રાજ્ય સરકારે આ હોસ્પિટલો બંધ કરી દીધી અને ત્યાં સામાન્ય પ્રકારની સારવાર ચાલુ કરાઈ.
દેશમાં ચોવીસ કલાકમાં 3, 54, 531 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કહેરના કારણે રોજ નવો રેકોર્ડ નોધાય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર રવિવારે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ 3, 54, 531 નવા મામલા મળ્યા છે. આ કોઈ દેશમાં એક દિવસમાં મળનારા વિશ્વના સૌથી વધારે કેસ છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2806 લોકોના મોત થયા છે. આ સંખ્યા દેશમાં એક દિવસમાં મરનારાની સૌથી વધારે છે.
મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ દેશમાં સતત છઠ્ઠા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. આના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 16. 2 ટકા થયા
સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 28 લાખને પાર જતી રહી છે. દેશમાં કુલ સારવાર લઈ રહેલાની સંખ્યા 28 લાખ 7 હજાર 333 છે. જે સંક્રમણના કુલ મામલાના 16.2 ટકા છે.કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 82.6 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને
1,42,96,640 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.