યુપીના ફતેહગઢ જેલમાં ડેન્ગ્યુના કારણે એક કેદીનું મોત થતા હોબાળો મચી ગયો હતો. અહીં જેલના કેટલાક કેદીઓએ જેલની અંદર આગ લગાવી દીધી હતી.
ડેન્ગ્યુના કારણે કેદી સંદીપ યાદવનું મોત
કેદીઓના મોત બાદ જેલમાં હંગામો થયો હતો
કેદીઓએ જેલર અને ડેપ્યુટી જેલરને માર માર્યો
ફતેહગઢ જિલ્લાની જેલમાં એક કેદીનું મોત થતા હોબાળો મચી ગયો
ફતેહગઢ જિલ્લાની જેલમાં ડેન્ગ્યુના કારણે એક કેદીનું મોત થતા હોબાળો મચી ગયો હતો. અહીં સાથી કેદીઓએ જેલની અંદર આગ લગાવી દીધી. આ સિવાય કેદીઓએ ડેપ્યુટી જેલરને પણ માર માર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસ અને પીએસીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
29 વર્ષીય કેદી સંદીપ યાદવનું મોત ડેન્ગ્યુના કારણે થયું હતું
આ મામલો ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની ફતેહગઢ જેલનો છે. જણાવવામાં આવી રહ્યું છે. 29 વર્ષીય કેદી સંદીપ યાદવનું મોત ડેન્ગ્યુના કારણે થયું હતું. સૈફઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું. આ અંગે માહિતી મળતાં જ કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. જેલ પરિસરના કેટલાક ભાગોમાં આગચંપી પણ થઈ હતી. કેદીઓએ ડેપ્યુટી જેલર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે. કે કેદીઓએ જેલમાં સરકારી સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ધાબળા અને ચાદર પણ સળગાવી દેવામાં આવી હતી. કેદીઓએ જેલમાં તૈનાત પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો.
જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે
બીજી તરફ જેલમાં હંગામો થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. જવાબદારો સામે કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યો છે. પોલીસ, પીએસી પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યાં છે. જેલ પ્રશાસનો દાવો છે કે, હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. કેદીઓને પોતપોતાની બેરેકમાં મોકલીને સ્થિતિ શાંત કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે હંગામા માટે જવાબદાર કેદીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.