ખેડૂતો-મજુરોની સમસ્યાઓને લઇને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા માર્ચ કરી પહોંચેલા ભારતીય કિસાન સંગઠનની 15માંથી 5 માંગ મોદી સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ ખેડૂતોએ પોતાનું આંદોલન ખતમ કર્યું છે.
15 માંગને લઇને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
મોદી સરકારે માની ખેડૂતોની 5 માંગ
ખેડૂતોના 11 સદસ્યોના પ્રતિનિધિ મંડળની કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે મુલાકાત
દિલ્હી આવેલા ખેડૂતોના 11 સદસ્યોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં જઇને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની વાત મુકી હતી. મોદી સરકાર દ્વારા 5 માંગ સ્વીકાર્યા બાદ ખેડૂતોએ પોતાનું આંદોલન ખતમ કરવાનું એલાન કર્યું હતું.
Delhi: Heavy traffic at Ghazipur flyover near Delhi-UP border, due to Uttar Pradesh farmers' protest march. The farmers are protesting over payment of sugarcane crop dues & demanding full loan waiver, among other things. pic.twitter.com/oCMuVJwu7b
સરકાર મુજબ હવે કિસાન વીમા યોજનાનો લાભ તમામ ખેડૂતોને આપવામાં આવશે. પ્રદુષિત નદીઓની સફાઇ માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. 14 દિવસની અંદર શેરડીના ખેડૂતોને મૂલ્યની ચૂકવણી કરવામાં આવશે. ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. ખેડૂતો પર ધરણા પ્રદર્શનને કારણે લગાવેલા કેસ જલ્દી જ દૂર કરાશે.
નોંધનીય છે કે ખેડૂતોને દિલ્હીમાં ઘુસતા જતા જ બોર્ડર પર રોકી લેવામાં આવ્યા. તેથી હજારો ખેડૂતો દિલ્હી બોર્ડર પર જ ધરણા પર બેસી ગયા છે. એમની માંગ છે કે, સરકાર તેમની સાથે વાત કરે અથવા એમને દિલ્હીના કિસાન ઘાટ જવા દેવામાં આવે. ત્યારબાદ ખેડૂતોના 11 સદસ્યોના પ્રતિનિધિ મંડળે દિલ્હી પોલીસની ગાડીમાં કૃષિ મંત્રાલય ગયા અને પોતાની માંગ રાખી. કૃષિ મંત્રાલય પાસેથી મળેલા આશ્વાસન બાદ ખેડૂતોએ પોતાના ધરણા પ્રદર્શન ખતમ કર્યા.
ખેડૂતોની માર્ચને પગલે દિલ્હીના ઘણા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. દિલ્હી કેઆઇટીઓથી દીનદયાળ ઉપાધ્યાય માર્ગને ખેડૂતોની રેલીને કારણે બંને તરફથી વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. આ ઉપરાંત ગાજીપુર બોર્ડરના યૂપી ગેટથી નિજામુદ્દીન આવનાર માર્ગ પર વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. એવામાં જો વાહનચાલક દિલ્હીથી ગાજિયાબાદ જવા માંગે છે તો રિંગ રોડ, વિકાસ માર્ગ, કડકડી મોડ અને આનંદ વિહાર થઇને જઇ શકે છે.
ખેડૂત સંગઠનોની પ્રમુખ માંગ
1 ભારતના તમામ ખેડૂતોના દેવા પૂર્ણ રીતે માફ કરવામાં આવે.
2 ખેડૂતોને સિંચાઇ માટે વીજળી મફત આપવામાં આવે.
3 ખેડૂતો અને મજૂરોને મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય
4 ખેડૂતો-મજૂરોને 60 વર્ષની ઉંમર બાદ મહીને 5000 રૂપિયા પેન્શન આપવામાં આવે.
5 પાકના ભાવ ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં નક્કી કરવામાં આવે.
6 ખેતી કરી રહેલા ખેડૂતોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર શહીદનો દરજ્જો આપવામાં આવે.