સીએમ યોગી આદિત્યનાથે તમામ સરકારી અને બિનસરકારી સંસ્થાનો તથા ઓફિસોને 50 ટકા કર્મચારી સાથે કામ કરવાનો આદેશ આપ્યો છે.
સરકારી અને બિનસરકારી ઓફિસોને 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનો આદેશ
50 ટકા સ્ટાફે વર્ક ફ્રોમ હોમ કરવું પડશે
યુપીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 8490 કેસો નોંધાયા
યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવતા સીએમ યોગીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ લખનઉ, પ્રયાગરાજ, વારાણસી અને કાનપુર સહિતના તમામ શહેરોમાં તમામ સરકારી અને બિનસરકારી કાર્યાલયોમાં વર્ક ફ્રોમ હોમની પણ મંજૂરી આપી દીધી છે.
યુપીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 8490 કેસો નોંધાયા
યુપીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 8490 કેસો નોંધાયા છે. મહામારી શરુ થયા પછી રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા કેસોની આ સૌથી વધારે સંખ્યા છે. આ પહેલા 11 સપ્ટેમ્બર 2020 ના દિવસે એક દિવસમાં સૌથી વધારે 7103 કેસો નોંધાયા હતા. દેશમાં હાલની કોરોના સ્થિતિ
ભારતમાં એક દિવસમાં કોવિડ 19ના નવા 1,31,968 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં ટોટલ કેસ 1,30,60,542 થઇ ગઇ છે. શુક્રવારે જાહેર કરેલ આંકડામાં 780 લોકોની મોત થયા બાદ 1,67, 642 થઇ ગઇ હતી. 18 ઓક્ટોબર બાદ આ સૌથી વધારે મામલા છે. આંકડા અનુસાર, દેશમાં સતત 30 દિવસથી નવા કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તે સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608થઇ ગઇ છે. જે કુલ મામલાનો 7.5 ટકા છએ. 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી સંખ્યા 1,35,926 એક્ટિ દર્દીઓ હતા.
છત્તીસગઢમાં 18 સપ્ટેમ્બર 2020ના સૌથી વધારે કેસ 3809 કેસ આવ્યા હતા. આ વર્ષે 7 એપ્રિલના રોજ 10310 કોરોનાના કેસ આવ્યા છે. ગયા વર્ષ કરતા 63 ટકા વધારે દર્દીઓની સંખ્યા વધી છે. આવામાં મહારાષ્ટ્રમાં 58 ટકા, ગુજરાતમાં 55 ટકા, મધ્ય પ્રદેશમાં 36 ટકા અને પંજાબમાં 5 ટકા દર્દીઓ વધ્યા છે.
દેશમાં કુલ કેસોમાંથી 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં
સમગ્ર દેશમાં જેટલા નવા કોરોનાના દર્દીઓ આવી રહ્યાં છે તેના 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે. છત્તીસગઢમાં 50 ટકા કેસ રાયપુર અને દુર્ગમાંથી છે. ગુજરાતમાં 55 ટકા કેસ અમદાવાદ, સુરત અને વડાદરાથી આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં 42 ટકા કેસ માત્ર ભોપાલ અને ઇન્દોરમાં છે.