ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાના મૃત્યુ સમયની દુઃખદ ક્ષણમાં માતાને એક ભાવુક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે કાલે 21 એપ્રિલના રોજ થનારા અંતિમ સંસ્કારમાં લોકડાઉને સફળ બનાવવા તથા મહામારી કોરોનાને હરાવવા માટેની રણનીતિને કારણે હું હાજરી નહીં આપી શકું.
એક મહિનાથી યોગીના પિતા એમ્સમાં દાખલ હતા, સોમવારે સવારે તેમનું નિધન થયુ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું સોમવારે સવારે નિધન થયું હતું. યોગી તેમના અંતિમ દર્શન પણ નહોતા કરી શક્યા. યોગીએ નિર્ણય કર્યો હતો કે તે લોકડાઉનના નિયમોનું પાલન કરશે. તેમજ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી નહીં આપે. યોગીઓ પોતાના પરિવારને અપીલ કરી કે અંતિમ સંસ્કારમાં ઓછામાં ઓછા લોકોને બોલાવે અને લોકડાઉનનું પાલન કરે. તેમણે દુઃખદ ક્ષણમાં માતાને ભાવુક પત્ર લખ્યો.
યોગીએ પિતાના અંતિમ સંસ્કારમાં નહીં જવાનો નિર્ણય લીધો
યૂપી સીએમે પિતા આનંદસિંહ બિષ્ટે સોમવારે દિલ્હી એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા. જ્યારે પિતાના મોતના સમાચાર આવ્યા ત્યારે યોગી કોરોનાને પહોંચી વળવા મીટિંગ કરી રહ્યા હતા તેને ચાલુ રાખી. અધિકારીઓએ સીએમ યુપીથી ઉત્તરાખંડ જશે એમ માની તેમના જવાની તૈયારીઓ કરી પણ તેમણે અંતિમ સંસ્કારમાં નહીં જવાનો નિર્ણય લીધો.
અંતિમ દર્શન કરવા ઈચ્છતા હતા પણ
યોગીએ માતાને એક પત્ર લખ્યો છે કે, ‘મારા પૂજ્ય પિતાજીના કૈલાશવાસી થવાનું મને ભારે દુઃખ અને શોક છે. તે મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, સખ્ત પરિશ્રમ અને નિશ્વાર્થ ભાવથી લોક મંગલના સમર્પિત ભાવની સાથે કામ કરવાના સંસ્કાર તેમણે નાનપણમાં જ મને આપ્યા હતા. અંતિમ દર્શન કરવાની ઈચ્છા હતી પરંચુ વૈશ્વિક મહામારી કોરોનાની સામે દેશ લડી રહ્યો છે. ઉત્તર પ્રદેશની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધીને કર્તવ્યબોધના કારણે હું ન આવી શક્યો. કાલે 21 એપ્રિલે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં લોકડાઉનની સફળતા અને મહામારી કોરોનાને હરાવવાની રણનીતિના કારણે ભાગ નહીં લઈ શકું. પૂજ્ય મા, પૂર્વાશ્રમથી જોડાયેલા તમામ સભ્યોને વિનંતી છે કે તે લોકડાઉનનું પાલન કરતા ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારમાં રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ -કોટિ નમન કરતા હું વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પિત કરી રહ્યો છું. લોકડાઉન પછી દર્શન માટે આવીશ.’