ઉત્તરપ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર તાત્કાલિક અંકુશ લાવવા જઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધતા તેની જાહેરાત કરી. યોગીએ દેવરિયાની સભામાં લવ જેહાદ મામલે અલગ કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ચેતવણી પણ આપી હતી.
સભા સંબોધતા યોગીએ ચેતવણી આપી કે ધર્મ છૂપાવનારાઓની હવે ખેર નથી
ચેતવણી બાદ નહીં સુધરનારા લોકોની રામ નામ સત્ય યાત્ર નિકળશે: યોગી
CM યોગીની જૌનપુરમાં લવ જેહાદ મુદ્દે જાહેરાત કરી હતી. CM યોગીએ કહ્યું કે, આવતીકાલે હાઈકોર્ટમાં એક ચુકાદો આવ્યો છે કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન ગેરકાયદે નથી. સરકાર લવ જેહાદ પર જલ્દીથી અંકુશ લગાવવી જઇ રહી છે.
CM યોગીએ કહ્યું કે, અમે લવ જેહાદને અંકુશમાં લાવવા માટે કામ કરીશું. અમે લવ જેહાદ માટે એક કાયદો બનાવીશું. હું તે લોકોને ચેતવણી આપું છું જે ઓળખ છુપાવે છે અને અમારી બહેનોના સન્માનની સાથે રમે છે. હું લવ જેહાદમાં ફસાવનારાઓને ચેતવણી આપુ છું. તમે નહીં બદલો તો તમારી રામ નામ સત્ય યાત્રા નિકળશે.
#WATCH Allahabad HC said religious conversion isn't necessary for marriage. Govt will also work to curb 'Love-Jihad', we'll make a law. I warn those who conceal identity & play with our sisters' respect, if you don't mend your ways your 'Ram naam satya' journey will begin: UP CM pic.twitter.com/7Ddhz15inS
માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન યોગ્ય નથી. વિપરીત ધર્મ સાથે જોડાયેલી એક અરજીને ફગાવતા કહ્યું હતું કે અરજી કરનારાઓ સંબંધિત મેજિસ્ટ્રેટની સામે હાજર થઈ પોતાના નિવેદન દાખલ કરાવવાની છુટ આપી છે. અરજકર્તાએ પોતાના પરિવાર સામે તેના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં દખલ ન દે તે માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. આ આદેશ ન્યાયમૂર્તિ એમસી ત્રિપાઠીએ પ્રિયાંશી ઉર્ફ સમરીન અને અન્યની અરજી પર કર્યો છે.