ઉત્તર પ્રદેશમાં સતત પ્રવાસી મજૂરોની સાથે દુર્ઘટનાઓ થઇ રહી છે. આ જ ક્રમે શનિવારના ઔરેયા દુર્ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે એક વખત ફરીથી અધિકારીઓને સાવચેત કર્યા છે. સીએમ યોગીએ આદેશ આપતા કહ્યુ કે, ''રાજ્યની સીમા ક્ષેત્રોથી કોઇ પણ પ્રવાસી કારીગર/ શ્રમિક ચાલતા, બાઇક અથવા ટ્રક વગેરે અવૈધ અને અસુરક્ષિત વાહનથી ના આવે. જો આમ થશે તો આ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ''
સીએમ યોગીએ તેમ પણ કહ્યુ કે, 'પોલીસ ચાલતા આવતા લોકોને જાગરૂક્ત કરે અને તેમણે રોકે.'' મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારના એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લૉકડાઉનની વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા. તેમણે પ્રવાસી કારીગરો/શ્રમિકોને અપીલ કરી કે તેઓ પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે. આ સાથે જ અવૈધ અને અસુરક્ષિત વાહનોથી ઘર માટે યાત્રા ના કરે. ઉત્ત પ્રદેશી સરકારે તમામ પ્રવાસી કારીગરો/ શ્રમિકોની સુરક્ષિત રાખવા માટે અને સન્માનજનક વાપસી માટે વ્યવ્સથા કરવાનું સનુશ્ચિત કરી રહી છે.
સીએમ યોગી આદિત્યનાથે વિશ્વાસ અપાવ્યો કે, ''રાજ્ય સરકાર પ્રવાસી શ્રમિકો/ કારીગરો માટે ટ્રેનથી પ્રદેશમાં નિશુલ્ક લાવી રહી છે. '' આ પહેલા પણ મુખ્યમંત્રી મજૂરોને પગપાળા અથવા તો કોઇ પ્રાઇવેટ વાહનમાં પરત આવવા માટે પહેલ કરી ચૂક્યા છે.
આ સિવાય ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ ગૃહે જણાવ્યુ કે, ''સીએમ યોગીએ આદેશ આપ્યો છે જેથી વરિષ્ઠ અધિકારીઓને પણ જારી આદેશ કરીને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યો છે કે, કોઇ પણ નાગરિક પગપાળા, અવૈધ અથવા તો સુરક્ષિત ગાડીઓથી યાત્રા ના કરે''