ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ થાય છે અને આઇસોલેટ રહીને લઈ રહ્યા છે સારવાર, આ જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી છે.
- યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી
- ઘરે જ આઇસોલેટ છું, વર્ચ્યુઅલી કરીશ કામ : યોગી આદિત્યનાથ
- આજે જ રાજ્યના પૂર્વ CM અખિલેશ યાદવ પણ પોઝિટિવ થયા
ટ્વિટ કરીને આપી જાણકારી
ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે મોટા મોટા રાજનેતાઓ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશના હાલના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંને કોરોના પોઝિટિવ થયા છે.
प्रदेश सरकार की सभी गतिविधियां सामान्य रूप से संचालित हो रही हैं।
इस बीच जो लोग भी मेरे संपर्क में आएं हैं वह अपनी जांच अवश्य करा लें और एहतियात बरतें।
આજે સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જાણકારી આપી કે શરૂઆત લક્ષણો દેખાતા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ રિપોર્ટ પોઝિટિવ આવી છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને ડૉક્ટરોના નિર્દેશના પાલન કરી રહ્યો છું તથા બધા જ કામ વર્ચ્યુઅલી કરી રહ્યો છું. સીએમ યોગીએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા જ પોતાનો ટેસ્ટ કરાવી લે અને સાવધાની રાખે. રાજ્યની સરકારની બધી જ ગતિવિધિઓ સામાન્ય રૂપથી ચાલુ જ છે.
અખિલેશ યાદવ પણ પોઝિટિવ
નોંધનીય છે કે આજે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અખિલેશ યાદવ હાલ ઘરે જ આઇસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યા છે.