ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નિશાન બનાવી છે. તેની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી. બેઠક બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શનના નામ પર હિંસાની મંજૂરી ના આપી શકીએ.
પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નિશાન બનાવી છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠક બોલાવી
તેઓએ કહ્યું કે, અમે હિંસક દેખાવકારો વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરીશું. જે પણ હિંસાનો દોષિત હશે તેની સંપત્તિઓ સીઝ કરવામાં આવશે. તેનાથી હિંસામાં કરાયેલ નુકશાનની ભરપાઇ કરવામાં આવશે.
Uttar Pradesh CM Yogi Adityanath: I have called a meeting over this. You cant indulge in violence in name of protest. We will take strict action against such elements. Will seize property of those found guilty and compensate damage to public property. #CitizenshipAmendmentActpic.twitter.com/6jxuXDLWDt
લખનઉમાં પ્રદર્શનકારીઓએ બે પોલીસ ચોકીઓને આગ લગાવી દીધી અને બહાર ઉભા વાહનોને પણ સળગાવી દીધા. ભીડને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. લખનઉમાં હિંસક દેખાવકારોએ મીડિયાની ઓબી વેનને પણ સળગાવી દીધી હતી.