ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ ખાણોમાં સગીર છોકરીઓનાં જાતીય શોષણ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે, આયોજન વગરના લોકડાઉનને કારણે ભૂખે મરતા પરિવારે, આ નાની બાળકીઓએ જીવવા માટે આ ભયાનક કિંમત ચૂકવી છે. શું આ આપણા સપનાનું ભારત છે?
રાહુલ ગાંધીએ ટ્વીટ પર સવાલ ઉઠાવ્યા
મીડિયાએ જાતીય શોષણ પર કર્યો ખુલાસો
તપાસમાં વટાયો ભાંગરો
ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટમાં પોલીસના નાક નીચે મહિલાઓ અને સગીર યુવતીઓનું જાતીય શોષણનું નેટવર્ક ચાલતું હતુ. પરંતુ પોલીસ આંખે પાટા બાંધીને બેઠી હતી. જ્યારે એક ન્યૂઝ ચેનલે આ લોકો પર થઈ રહેલા અત્યાચારને દેશની સામે મૂક્યો ત્યારે ત્યાં ખળભળાટ મચ્યો હતો.
अनियोजित लॉकडाउन में भूख से मरता परिवार...
इन बच्चियों ने ज़िंदा रहने की ये भयावह क़ीमत चुकाई है।
મીડિયામાં સમાચાર આવ્યા બાદ લોકોને પોતાની ફરજ યાદ આવી છે. તપાસ કમિટીની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તપાસ શરુ થાય તે પહેલા જ ડીએમ શેષમણી રિઝલ્ટ પર પહોંચી ગયા અને તમામ આરોપોને ફગાવી દીધા હતા. એટલું જ નહીં ઉપરથી મીડિયા પર જ સવાલ ઉઠાવી દીધા. જ્યારે તેમને આ અંગે પુછવામાં આવ્યું તો તેઓ જવાબ આપ્યા વગર ચાલવા લાગ્યા હતા.
શું છે સમગ્ર મામલો
કોરોના સંકટ વચ્ચે ચિત્રકૂટમાં ગેરકાયદેસર ચાલતા ખનન રેકેટમાં સગીર છોકરીઓને નજીવી રકમના વેતન માટે શરીરનો સોદો કરવા મજબૂર કરવામાં આવી રહી છે. તેમની સાથે એવી રીતે વર્તન થઈ રહ્યું છે કે જાણે તે ગરીબી હોવું જાણે કે શ્રાપ હોય. ગરીબ પરિવારના સભ્યો બધું જાણીને આ અત્યાચારને તેમનું ભાગ્ય ગણી સહન કરી રહ્યાં છે.
આ શરમજનક ઘટનાના સમાચાર મીડિયામાં આવ્યા હતા. પરંતુ સત્યને નજર અંદાજ કરીને સરકારી તંત્ર પોલીસનો કાફલા સાથે પીડિત મહિલાના ગામમાં પહોંચી અને ખાખીદારોની સામે મજબૂર લોકોએ પોતાના મોઢેં તાળુ મારી દીધું.