આપને જણાવી દઇએ કે યોગી સરકારે 200થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને જબરદસ્તીથી રિટાયર કરી દીધાં, જ્યારે 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને બૃહદ દંડ આપ્યો. એટલે કે હવે તેમનું પ્રમોશન નહીં થાય, આ સાથે જ તેઓને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવશે. વધારે આઇએએસ અને આઇપીએસ ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ પર નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 600થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓની વિરૂદ્ધ મુખ્યમંત્રી યોગીએ કાર્યવાહી કરી છે. હાલમાં 200 વધુ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે યોગી સરકારે 200થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને જબરદસ્તીથી રિટાયર કરી દીધાં, જ્યારે 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને બૃહદ દંડ આપ્યો. એટલે કે હવે તેમનું પ્રમોશન નહીં થાય, આ સાથે જ તેઓને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવશે. વધારે આઇએએસ અને આઇપીએસ ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ પર નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. આ અધિકારીઓની યાદી તૈયારી કરીને કેન્દ્ર સરકારને મોકલી દીધેલ છે.
સરકારનાં પ્રવક્તા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, આ પહેલી સરકાર છે કે જેને 600થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપમાં કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, 20 જૂન સચિવાલય પ્રશાસન વિભાગની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઇમાન અને ભ્રષ્ટ અધિકારી (corrupt officer) ને આડે હાથ લીધાં. તેઓએ કહ્યું હતું કે, બેઇમાન-ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને માટે સરકારમાં કોઇ જ જગ્યા નથી. આને તત્કાલિક વીઆરએસ આપી દો.
આ સાથે જ જે અધિકારીઓની ગતિવિધિઓ શંકાસ્પદ છે અને જેની વિરૂદ્ધ ફરિયાદો દાખલ છે. તેની યાદી તૈયાર કરવાનાં નિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીએ અધિકારીઓને કાર્યપદ્ધતિ સુધારવા નિર્દેશ આપ્યા હતાં. તેઓએ ઇ-ઓફિસની કાર્યપ્રગતિ પર અસંતોષ દર્શાવતા કહ્યું કે, બે વર્ષ બાદ પણ સો ટકા કાર્ય કેમ નથી થઇ શક્યું. તેઓએ અધિકારીઓને ખરા સમય પર નિર્ણય લેવા અને સખ્ત કાર્યવાહી કરવાનાં પણ આદેશ આપ્યા હતાં.