ઉત્તર પ્રદેશના કેબીનેટમંત્રી કમલ રાની વરુણ નું આજે અવસાન થયું. તેમની કોરોનાવાયરસની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 17 મી જુલાઈએ જ્યારે કોરોના વાયરસની શંકા હતી ત્યારે કમલ રાની વરુણનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
UPના કેબિનેટ મંત્રી કમલા વરૂણનું થયું કોરોનાથી નિધન
લખનઉનાં PGI હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈએ તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, તેમને લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે કાનપુરના ઘાટમપુરથી ધારાસભ્ય હતા. શનિવારે તેની સ્થિતિ અચાનક વણસી ગઈ હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
સીએમ યોગી આદિત્યનાથે કમલા રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ નિધન પર ટ્વિટ કરીને લખ્યું કે, 'ઉત્તરપ્રદેશ સરકારમાં મારા સાથીદારના અકાળ અવસાન અંગેની માહિતી મળતા જ હું વ્યથિત થયો. રાજ્યએ આજે એક નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના. ભગવાન સ્વર્ગસ્થ આત્માને તમારા ચરણોમાં સ્થાન આપો. 'શાંતિ!'
દેશમાં કોરોનાના કેસની સંખ્યા 17 લાખને પાર
દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. આપને જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 54 હજાર 736 જેટલા નવા કેસ નોંધાયા છે અને 853 લોકોના મોત થયા. તો આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 17.50 લાખને પાર પહોંચી છે. તો અત્યાર સુધીમાં 37 હજાર 364 લોકોના મોત થયા છે.