ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં બદલાવાની યોજના બનાવી રહ્યું છે.
અયોધ્યાને મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની યોજના
ભારતીય રેલવે દ્વારા શરુ કરાઇ કામગીરી
એક દિવસમાં એક લાખ યાત્રીઓનું થઇ શકશે આવન-જાવન
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં બદલવાની યોજના બનાવી રહ્યું છે. જેને લઇને ભારતીય રેલવે અયોધ્યાના રેલવે સ્ટેશને નવુ સ્વરુપ આપવાને લઇને કામ કરી રહ્યું છે. વિભાગનો હેતુ ચે કે આ રેલ્વે સ્ટેશન એટલું મોટુ હોય કે દરરોજ 1,00,00 યાત્રીઓનું સંચાલન થઇ શકે.
આ સ્ટેશન બે તબક્કાઓમાં વિકસિત કરવામાં આવશે. પહેલો તબક્કો સપ્ટેમ્બર સુધીમાં પુરો થઇ જશે. જેના હેઠળ સ્ટેશનની બિલ્ડિંગને બે માળની બનાવામાં આવશે, તે સિવાય મેલા શેડ, સર્કુલેટિંગ એરિયા, બે ફૂટ ઓવર બ્રિજ, આરામઘર, દર્દીઓ માટેનો રુમ, એસ્કેલેટર, લિફ્ટ, ફૂડ કોર્ટ, એસી રિટાયરિંગ રુમ, એલઇડી હોર્ડિંગ વગેરે સુવિધાઓથી યુક્ત રેલવે ક્વાર્ટર પણ તૈયાર કરવામાં આવશે.
પહેલા તબક્કામાં 25 હજાર યાત્રીઓ આવી શકશે
બીજા તબક્કામાં રેલવે અહી આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્ટેશનના દક્ષિણી ભાગમાં વેટિંગ અને પાર્કિંગ એરિયા બનાવશે. જેના માટે રાજ્ય સરકાર પાસેથી જમીન લેવામાં આવશે. પહેલા તબક્કો પૂરો થવા પર સ્ટેશન દશેરા, રામનવમી, દિવાળી, ચોરાસી કોસી જેવી પરિક્રમાના અવસર પર એક દિવસમાં 25 હજાર યાત્રીઓનું આવન-જાવન કરી શકશે. પરંતુ બીજા તબક્કો પૂરો થવા પર તેના કરતા 4 ગણા યાત્રીઓ આરામથી આવી શકશે.
રાજ્યનું સૌથી મોટુ રેલવે સ્ટેશન બનશે
ઉત્તર રેલવેની લખનઉ ડિવિઝનની ડિવિઝનલ રેલવે મેનેજેરનું કહેવું છે કે 'પ્રોજેક્ટ પૂરો થવા પર અયોધ્યા એક દિવસમાં 1,00,000 મુસાફરોનું સંચાલનવાળો પ્રદેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન બની જશે. નવેમ્બર 2020 સુધી તેના માટે 35 કરોડ રુપિયા આપવામાં આવ્યાં છે. જયારે હાલના બજેટમાં 50 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.'