ભગવાન રામની નગરી અયોધ્યા આ વખતે ઐતિહાસિક દિવાળી માટે શણગારવામાં આવી રહી છે. આ વર્ષે 500 વર્ષ બાદ રામજન્મભૂમિ સ્થળે દીવડા પ્રગટાવાશે. અયોધ્યામાં દીપોત્સવનો મુખ્ય કાર્યક્રમ આ વખતે નાની દિવાળી પર 13 નવેમ્બર થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ શ્રીરામજન્મભૂમિ પહોંચીને રામલલાના દર્શન કરશે અને ત્યાં દીપ પ્રજ્જ્વલિત કરશે. આખા શહેરમાં દીપોત્સવને લઇને તૈયારઓ જોરશોરથી ચાલી રહી છે.
દીપોત્સવના સ્થળ પર 5 લાખથી વધુ દીવડાઓ
મુખ્યમંત્રીનો આદેશ, દીપોત્સવ પર અલગ અલગ કાર્યક્રમ
સરકારનો દાવો, 500 વર્ષોમાં પહેલી વખત થશે આવી દિવાળી
13 નવેમ્બરે થનારી દીપોત્સવના ઘટનાસ્થળે 5 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. પર્યટન મંત્રી નીલકંઠ તિવારીએ કહ્યું કે, કોરોના ન હોત તો કરોડો લોકો આ કાર્યક્રમમાં ભાગ લેત.
દીવડાઓથી સજ્જ થઇ રામની પૈડી
દીપોત્સવનો મુખ્ય કાર્યક્રમ રામની પૈડી પર થાય છે. છેલ્લા 3 વર્ષોથી અહીં દીપોત્સવનો કાર્યક્રમ થઇ રહ્યો છે. 13 નવેમ્બરે થનારા દીપોત્સવના કાર્યક્રમની તૈયારીઓનો અંદાજો આનાથી લાગી શકે છે કે જ્યાં સુધી નજરે જશે ઘાટ પર માત્ર દીવડા જ નજરે આવશે.
મુખ્યમંત્રીનો આદેશ, દીપોત્સવ પર અલગ અલગ કાર્યક્રમ
મુખ્યમંત્રી યોગીએ આદેશ કર્યો છે કે દીપોત્સવ 2020 દરમિયાન પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું સમગ્ર પાલન કરવામાં આવવું જોઇએ. યોગીએ કહ્યું કે રામની પૈડી પર આ વખતે 5.51 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
તમામ ઘાટને સજાવવા અને દીપોત્સવની તૈયારીઓમાં ફૈઝાબાદ યૂનિવર્સિટી, સાકેત કૉલેજ સિવાય અન્ય શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પણ મદદ કરી રહ્યા છે. ઘાટ પર અલગ અલગ કલાકૃતિઓ બનાવવામાં આવી છે.
મઠ-મંદિરોમાં ગુંજશે ભજન અને રામાયણ
મુખ્યમંત્રીએ આદેશ કર્યા કે આ દરમિયાન મઠ-મંદિરોમાં ભજન અને રામાયણ પાઠનું આયોજન કરવામાં આવે. અયોધ્યાની ભવ્ય સજાવટ કરવામાં આવે. શ્રીરામજન્મભૂમિ, કનક ભવન, રામની પૈડી, હનુમાન ગઢી સહિત તમામ મંદિરોમાં વીજળીની સજાવટ કરવામાં આવે. આ પ્રકારના પુલો વિદ્યુત પોલ સહિત ઇલેક્ટ્રીક ઝાલર લગાવવામાં આવે.
સરકારનો દાવો, 500 વર્ષોમાં પહેલી વખત થશે આવી દિવાળી
પ્રદેશના પર્યટન મંત્રી નીલકંઠ તિવારીએ કહ્યું કે, રામજન્મભૂમિ સ્થળ પર પહેલી વખત એવો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, જે છેલ્લા 500 વર્ષથી નહોતું થયું. તિવારીએ કહ્યું કે, 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે અંતે કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ શરૂ કરવાનો આદેશ આપી દીધો. જો કોરોના ન હોત તો આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં કરોડો લોકો સામેલ થાત. તેમણે જણાવ્યું કે, લોકો કાર્યક્રમ સ્થળ પર ન આવે એટલા માટે કાર્યક્રમના ડિઝિટલ પ્રસારણની તૈયારી કરવામાં આવી છે.