ભારતના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે વધુ બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આજે ઉત્તર પ્રદેશ અને કશ્મીર બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ ખાસ જાનહાનિ જોવા મળી નહોતી.
મેરઠમાં ભૂકંપના ઝટકા
ઉત્તરપ્રદેશના મેરઠમાં ભૂકંપના ઝટકા અનુભવાયાં, 2.7 રહી તીવ્રતા
જમ્મુ કશ્મીરના કટરામાં ભૂકંપ
જમ્મુ કશ્મીરના કટરામાં આજે વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ગઈકાલે મિઝોરમમાં આવ્યો હતો આંચકો
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે 9.02 વાગ્યે આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂંકપના આંચકા આવે ત્યારે શું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?