ઉત્તપ્રદેશના અલાહાબાદમાં એક સનીસનીખેજ ઘટના સામે આવી. જેમાં એક હિસ્ટ્રીશીટરે દુર્ગા પૂજા પંડાલમાં ફાયરિંગ કર્યુ અને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યાની આ ઘટનાને ચાર બદમાશોએ અંજામ આપ્યો અને સરળતાથી ફરાર થઈ ગયા.
હિસ્ટ્રીશીટર નીરજ વાલ્મીકીનો કૈટ વિસ્તારમાં ભારે દબદબો છે. શહેરમાં કેટલીય ઘટનાઓમાં તેનુ નામ સામે આવ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ રેડિયો સ્ટેશન પાસે દુર્ગાપૂજાનું આયોજન થયુ હતુ. આ દરમિયાન નીરજ પંડાલની બહાર બેઠો હતો.
ત્યારે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને ફાયરિંગ કર્યુ. એટલું જ નહીં ફાયરિંગ બાદ તેઓએ બોમ્બ પણ ફેંક્યો. ઘટનાના પગલે સમગ્ર પંડાલમાં અફરા તફરીનો માહોલ ઉભો થયો. હત્યાના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે મૃતક નીરજ ગુનેગાર હતો. જેના પર એક ડઝનથી પણ વધુ કેસ દાખલ છે. હત્યાના બે ગુનામાં પણ તેની સંડોવણી સામે આવી હતી.