ગોઝારો શુક્રવાર, 11નાં મોત
ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં એક ટ્રેક્ટર ટ્રૉલી બેકાબૂ થઈ અને પલટી ખાઈ જતાં ભીષણ સડક હાદસામાં 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં સાત મહિલા અને ચાર બાળકો છે. આ સિવાય પણ અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર છે. અત્યારે ઘટનાસ્થળ પર લોકોને બચાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
કઈ રીતે થયો અકસ્માત
નોંધનીય છે કે ચીરગાંવ ક્ષેત્રમાં ભાંડેર રોડ પર ટ્રેક્ટર ટ્રૉલીમાં 32 લોકો સવાર હતા અને સામેથી પશુ આવી જતાં ટ્રેક્ટરે કાબૂ ગુમાવી દીધો અને ખેતરોમાં પલટી ખાઈ ગયું. સાત મહિલા અને ચાર બાળકો સહિત 11 લોકોએ ઘટના સ્થળ પર જ પોતાના જીવ ગુમાવી દીધા હતા. છ લોકો હજુ પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે.
રાહત બચાવ શરૂ
જાણકારી આંસુઆર તમામ લોકો દશેરાએ કોઈ ધાર્મિક સ્થળથી દર્શન કર્યા બાદ પરત આવી રહ્યા હતા. દુર્ઘટના બાદ લોકોએ ચીસો પાડી હતી અને આસપાસનાં લોકો બચાવવા માટે આવ્યા હતા. SP સિટી ત્રિપાઠી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.