ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા મનોહર પર્રીકરના દીકરાએ પક્ષ સામે બાંયો ચડાવી છે અને પાર્ટી છોડવાની ધમકી આપતા રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.
ગોવાની ચૂંટણી પહેલા મનોહર પર્રીકરના દીકરાની ધમકી
ટિકિટ નહીં આપો તો લેવો પડશે આકરો નિર્ણય
રાજકારણમાં ગરમાવો
મળતી વિગત પ્રમાણે,ઉત્પલે ભાજપને ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં પણજીથી તેમને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપવામાં નહીં આવે તો તેમણે આકરો નિર્ણય લેવો પડશે. આ દરમિયાન ઉત્પલ મનોહર પર્રીકરે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેમને ટિકિટ જરૂર આપશે.
પક્ષને આપી દીધી ચેતવણી
ઉત્પલ મનોહર પર્રીકરે કહ્યું કે,મેં પાર્ટીને પહેલા જ જણાવી દીધું છે કે, પણજીથી હું ચૂંટણી લડવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ ભરોસો છે કે પાર્ટી મને ટિકિટ આપશે.બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર અતાનાસિયો મોનસેરેટ, 9 અન્ય ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા છે, જેમણે કોંગ્રેસની ટિકિટ પર 2017માં ચૂંટણી જીતી હતી.
ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો શું કરશો?
જો ઉત્પલ પર્રિકરને ભાજપ તરફથી ટિકિટ આપવામાં નહીં આવે તો તેઓ શું કરશે, તેમણે કહ્યું કે આ આ વિશે વાત કરવાનો સમય નથી. તેણે કહ્યું, "મારે અત્યારે આ વિશે વાત કરવાની જરૂર નથી. મનોહર પર્રિકરને તેમના જીવનમાં સરળતાથી કંઈ મળ્યું નથી. એ જ રીતે મારે પણ કામ કરવાનું છે. મને કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા માટે મજબૂર પણ કરી શકાય છે અને હું શક્તિ માટે પ્રાર્થના કરું છું, મારે આ નિર્ણયો લેવા પડશે.
2017માં બની હતી કોંગ્રેસની સરકાર
ઉલ્લેખનીય છે કે, 2017માં ચૂંટણીમાં કોંગ્રેસે 40 સભ્યોની બેઠકવાળી વિધાનસભામાં 17 બેઠકો હાંસલ કરી હતી અને ભાજપને 13 બેઠક ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે અને મોટાભાગના ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય લુઈજિન્હો ફેલેરો તાજેતરમાં જ કોંગ્રેસમાં શામેલ થયાં છે.