બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPS પેન્શન સ્કીમનો લાભ લેવા આટલા વર્ષ સુધી નોકરી કરવી જરૂરી, જાણો નવા નિયમો

જાણી લો / UPS પેન્શન સ્કીમનો લાભ લેવા આટલા વર્ષ સુધી નોકરી કરવી જરૂરી, જાણો નવા નિયમો

Last Updated: 09:48 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકીકૃત પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીને 25 વર્ષ નોકરી કરવાની રહેશે. 25 વર્ષની સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50 ટકા જેટલું પેન્શન મળશે.

કેન્દ્રીય કર્મચારીઓને ગેરંટી પેન્શન આપવા માટે કેન્દ્ર સરકારે એકીકૃત પેન્શન યોજના (UPS) નું નોટિફિકેશન જારી કરી દીધી છે. UPS ના નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે. આ લાગુ થયા બાદ થયા બાદ જે કર્મચારી સરકારી સેવામાં આવશે તેમણે એકીકૃત પેન્શન સ્કીમનો લાભ મળશે, ત્યારે જે જૂના કર્મચારી 1 એપ્રિલ 2025 એ સેવામાં હશે તે આ પેન્શન સ્કીમને પણ પસંદ કરી શકશે

Pension

એકીકૃત પેન્શન સ્કીમ (UPS) નો લાભ લગભગ 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. કેન્દ્ર સરકારે આના નિયમ-ફાયદા જારી કરી શકશું. આ હેઠળ જો કોઈ કર્મચારી UPS હેઠળ પેન્શનનો લાભ મેળવવા ઈચ્છે છે તો તેમણે પોર્ટલ પર UPS નો ઓપ્શન સિલેક્ટ કરીને ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. આ યોજના હેઠળ કર્મચારી પોતાની પેન્શન માટે 10% નું કોન્ટ્રીબ્યુશન આપશે. ત્યારે સરકારનું કોન્ટ્રીબ્યુશન બેઝિક પે અને મોંઘવારી ભથ્થાની કુલ રકમના 18.5% થઈ જશે. નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપે છે. જોકે, અમુક શરતો પણ છે. તો ચાલો UPS માં પેન્શન મેળવવા માટે કેન્દ્રીય કર્મચારીઓ સાથે ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી નોકરી કરવાની રહેશે.

25 વર્ષની સેવા પર મળશે કેટલું પેન્શન

જણાવી દઈએ,  એકીકૃત પેન્શન સ્કીમ હેઠળ જે નિયમ નક્કી કર્યા છે, તેના હેઠળ કર્મચારીને 25 વર્ષ નોકરી કરવાની રહેશે. 25 વર્ષની સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50 ટકા જેટલું પેન્શન મળશે. ધારો કે કોઈ કર્મચારીનો 12 મહિનાનો સરેરાશ માસિક પગાર 60 હજાર રૂપિયા છે, તો આવા કર્મચારીને નિવૃત્તિ પછી 30 હજાર રૂપિયા પેન્શન મળશે.

આ પણ વાંચોઃવ્હોટ્સએપમાં સ્ટેટ્સ જોવું છે પણ ખબર નથી પડવા દેવી? આટલું કરો કોઈને ભનક પણ નહીં લાગે

ઓછામાં ઓછા કેટલા વર્ષ નોકરી કરવાની રહેશે

નવી પેન્શન સ્કીમ એકીકૃત પેન્શન યોજના કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂરી કરી લીધી છે, તો તેને રિટાયરમેન્ટ પર દર મહિને ન્યૂનતમ 10 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો UPS પેન્શન મેળવવા માટે કર્મચારીઓને ઓછામાં ઓછા 10 વર્ષ નોકરી કરવાની રહેશે. આ બાદ તે પેન્શનનો લાભ ઉઠાવી શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unified Pension Scheme Utility News New Pension Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ