બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પાકી નહીં પણ કાચી કેરી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, આ રીતે કરો સેવન

લાઈફસ્ટાઈલ / પાકી નહીં પણ કાચી કેરી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, આ રીતે કરો સેવન

Last Updated: 09:34 PM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને માર્કેટમાં કેરીઓ પણ આવી ગઈ છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓનું પણ મન લલચાતું હોય છે. પણ શું તેઓ કેરીનું સેવન કરી શકે ખરા? તે અંગે એક્સપર્ટ શું કહે છે તે જાણીએ.

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારોમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવાનું શરૂ થઈ જાય છે. પરંતુ ડાયાબિટીસથી પીડિત અનેક લોકો ઘણીવાર આ પ્રશ્નથી પરેશાન હોય છે કે શું આપણે કેરી ખાઈ શકીએ કે નહીં? ખાસ કરીને પાકેલી કેરીની મીઠાશને ધ્યાનમાં રાખીને, ડોકટરો ઘણીવાર તેને લિમિટેડ માત્રામાં ખાવાની ભલામણ કરે છે. પરંતુ શું કાચી કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત વિકલ્પ હોઈ શકે છે. આ અંગે એક્સપર્ટનું માનીએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કેરી એક સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેને મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે ખાવી જોઈએ.

  • કાચી કેરી અને પાકી કેરી

એક્સપર્ટનું કહેવું છે કે જેમ જેમ કેરી પાકે છે તેમ તેમ તેમાં રહેલો સ્ટાર્ચ ધીમે ધીમે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી સુગરમાં ફેરવાય છે. તેનાથી પાકેલી કેરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વધે છે, જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. જ્યારે પાકેલી કેરીનો GI - 51 થી 60 ની વચ્ચે હોય છે. કાચી કેરીનો GI - 41 થી 55 ની વચ્ચે હોય છે. આ સ્થિતિમાં કાચી કેરીમાં સુગર ઓછી અને ફાઇબર તથા સ્ટાર્ચ વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર ધીમે ધીમે વધે છે.

  • ફાઇબર અને રેસિસ્ટેન્ટ સ્ટાર્ચથી થાય છે ફાયદા

કાચી કેરીમાં પાકેલી કેરી કરતાં વધુ ડાયેટરી ફાઇબર અને રેસિસ્ટેન્ટ સ્ટાર્ચ હોય છે. આ બંને તત્વો પાચનક્રિયાને ધીમી કરે છે અને શરીરમાં ગ્લુકોઝના શોષણની ગતિ ઘટાડે છે. તેને ખાધા બાદ બ્લડ સુગરમાં અચાનક વધારો ઘટાડો થાય છે.

Mango (2)
  • પોષક તત્વોથી ભરપૂર

કાચી કેરીમાં વિટામિન સીનો સારો એવો સ્ત્રોત હોય છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જરૂરી છે. આ સિવાય તેમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, કેરોટીન અને પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે.

  • આ રીતે કરો સેવન

આયુર્વેદમાં કાચી કેરીને ઠંડક આપનારુ અને પાચનમાં સુધારો કરતું ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ જીરું, કાળા મીઠા સાથે ભેળવીને અને ક્યારેક ગળ્યું ઉમેરીને બનાવવામાં આવે છે. તે ઉનાળામાં શરીરને ઠંડક આપવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

વધુ વાંચો : ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના છે 7 અનેરા ફાયદા, જાણશો તો તેના વગર ક્યારેય નહીં જમો ફૂલ ભાણું

  • કાચી કેરી ખાતી વખતે આ વાતનું રાખો ધ્યાન

એક્સપર્ટ મર્યાદિત માત્રામાં કાચી કેરી ખાવાની સલાહ આપે છે. કાચી કેરીની છાલ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેને ખાંડ કે ગોળ ઉમેર્યા વગર ખાવું જોઈએ. તેને સલાડમાં છીણીને, ઉકાળીને અથવા હળવા મસાલા સાથે ખાઓ. આ સિવાય જે લોકોને પેટમાં ગેસ, એસિડિટી અથવા ગેસ્ટ્રાઇટિસની સમસ્યા હોય તેમને કાચી કેરીનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ કારણ કે તેની ખટાસ પેટને ખરાબ કરી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Mango Fruits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ