ભાવનગરના પાલીતાણમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની ઘટના સામે આવી છે. પુત્રએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું કે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા આપઘાત કર્યો છે.
પાલીતાણામા 4 એપ્રિલના રોજ ફ્રુટ ના વેપારી અશોકમલ લાલવાની એ પુત્ર દ્વારા થયેલ દેવાના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો કોઈ પોલીસ ફરિયાદ થઈ ના હતી. જો કે હવે 20 દિવસ પછી વ્યાજખોરોના ત્રાસને લઈ પિતાના મૃત્યુ પછી પુત્રએ કર્યો વીડિઓ વાયરલ કર્યો છે.
વ્યાજખોરોનો ત્રાસથી પોતાના પિતાએ આત્મહત્યા કરી હોવાનો આ વીડિઓમાં ઉલ્લેખ છે. પિતાના મોત બાદ પુત્ર પણ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા મજબુર થશે તેમ જણાવી રહ્યો છે. વીડિઓ પાલીતાણાના ફ્રૂટના વેપારીના પુત્ર નો હોવાનું જાણવા મળ્યું છે. કોઈ સામે પોલીસ ફરિયાદ નથી પરંતુ હાલ પોલીસ ખાનગી રહે આ મુદ્દે તપાસ ચાલવી રહી છે.