રાજકોટ: ફરી એકવાર વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. શહેરના નવાગામ વિસ્તારમાં સાંજના સમયે વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ અને ક્રાઈમબ્રાંચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વ્યાજખોરનો આતંક CCTV કેમેરામાં કેદ થઈ હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલા પર નજર કરીએ તો રાજકોટમાં રહેતા અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા જય હેરમાએ અરવિંદ ગઢવી પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો દ્વારા વધુ 8 લાખની માગણી કરવામાં આવતી હતી.
જે મામલે અરવિંદ ગઢવી અને ભારા ગઢવીએ ફરિયાદીને સમાધાન કરવા બોલાવ્યો હતો અને ત્યાર બાદ તેને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું.
CCTVમાં સ્પષ્ટ દેખા રહ્યું છે કે અરવિંદ ગઢવીના હાથમાં પિસ્તોલ છે અને તે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે અને બાદમાં ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારે પોલીસે આ મામલે CCTV ના આધારે તપાસ તેજ કરી છે.