આજકાલ દરેક વ્યક્તિ માટે પેટની સમસ્યા સામાન્ય બની ગઇ છે. બદલાતી જીવનશૈલીના લીધે વ્યક્તિ ગેસ, એસિડીટી અને અપચા જેવી સમસ્યા સામે લડે છે.
ઓછી શારિરીક પ્રવૃત્તિ અને બેઠાડુ જિંદગીએ પેટની મુશ્કેલીઓ વધારી છે. ભુખ ઓછી લાગવી, ગેસ તેમજ પેટ ફુલવાની સમસ્યા તે બધામાં કેટલાક ફુડ રાહત આપી શકે છે. તમે ક્યારેક વિચારશો કે હું ઓછુ ખાઉં છુ છતા વજન કેમ ઉતરતુ નથી. આ બધી સમસ્યાઓનુ મુળ પેટમાં છે. કહેવાય છે કે દરેક રોગનુ મુળ પેટ જ છે. આ વસ્તુઓનુ સેવન કરશો તો ગેસ જેવી સમસ્યાઓમાંથી થોડી રાહત ચોક્કસ મળશે.
અજમો
અજમો એક નેચરલ એંટાસિડ છે. બે કપ પાણીમાં ચાર નાની ચમચી અજમાં નાંખો. પાણી અડધુ થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને ઠંડુ કરી લો. દિવસમાં બે વાર આ પાણી પીવો.ગેસ ગાયબ થઇ જશે.
આદુ
આદુ એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે. આદુ અને મધની પેસ્ટ બનાવીને ભોજન કર્યા પહેલા લઇ શકાય તો ગેસની સમસ્યામાં ખુબ રાહત મળે છે. આ ઉપરાંત તમે આદુ અને સંચળને ભોજન બાદ પણ ખાઇ શકો છો. ભોજનમાં પણ ખુબ આદુ વાપરો. ચા પીતા હો તો તે પણ આદુ વાળી પીવો. આદુનો ઉપયોગ જેમ બને તેમ વધુ કરો
ફુદીનો
ફુદીનાના પાંદડાને ચાવવાથી, છાશ, દહીં, શાક, ચટણી વગેરેમાં નાખીને તેનું સેવન કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. ફુદીનામાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે.
વરિયાળી
વરિયાળી પેટ ઠંડુ રાખે છે. એસિડિટી અને ગેસની સમસ્યા હોય તો રોજ સવાર સાંજ વરિયાળી ચાવવાની આદત રાખવી જોઇએ. તમે તેને મુખવાસ રુપે પણ લઇ શકો છો. વરિયાળી તરીકે મુખવાસને અવોઇડ ન કરવી જોઇએ. તે પેટની અન્ટ સમસ્યાઓમાંથી રાહત અપાવવાની સાથે ભોજન પણ જલ્દી પચાવે છે.
તુલસી
તુલસીના ઔષધીય ગુણો એલોપેથિક, હોમિયોપેથિક અને આયુર્વેદિક બધીજ વિદ્યાઓના ચિકિત્સકો માને છે. રોજ સવારે તમે તુલસીના પાનને ચાવીને તેની અસર અનુભવી શકો છો.
દહીં
દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે, જે પેટ માટે લાભદાયક છે. તે પેટને એચ. પાયલોરી બેક્ટેરિયાથી સુરક્ષા આપે છે. રોજ દહીંનુ સેવન કરવું પેટ માટે ખુબ જ સારું છે.