બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યલ મિડીયા પર ઘણા એક્ટિવ રહે છે અને હાલમાં જ ગાલિબના નામે ખોટી શાયરી પોસ્ટ કરી હતી, બાદમાં લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.
અમિતાભ બચ્ચનને લોકો ટ્રોલ કરી રહ્યાં છે
કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં બિઝી બિગબી
ટીચર બદલવા માટે યુઝર્સે આપી દીધી સલાહ
બીગ-બી રોજ કોઇ ને કોઇ પોસ્ટ કરતા રહેતા હોય છે અને હાલમાં તેમણે એક એવી પોસ્ટ કરી છે જેને લઇને તે ટ્રોલ થઇ ગયા છે અને લોકોએ તેમને કહી દીધુ કે, પોતાની ટીમ બદલી દો.
શું છે ઘટના
સોમવારે મોડી રાત્રે અમિતાભે પોતાના અકાઉન્ટમાંથી એક તસવીર શૅર કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ શેર મિરઝા ગાલિબના છે. હકીકત તો તે છે કે આ શેર કોઇ શાયરના નથી અને અમિતાભે ક્રોસ ચેક કર્યા વગર તસવીર ફેસબૂક પર શૅર કરી દીધી હતી જેના લીધે તે ખુબ ટ્રોલ થયા હતા.
મહાનાયક થયા ટ્રોલિંગનો શિકાર
અમિતાભ બચ્ચનને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને તેમાં કોઇ ટીચર બદલવાની તો કોઇ પોતાની ટીમ બદલવાની વાત કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, આજે ગાલિબ જીવતા હોત તો આત્મહત્યા કરી લેત.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની 13મી સિઝનના શૂટિંગમાં બિઝી છે. તે સિવાય ઝૂંડ, ચેહરે, બ્રહ્માસ્ત્ર, મેડે સહીત ફિલ્મો સામેલ છે.
દિલીપ કુમારને પાઠવી શ્રદ્ધાંજલિ
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું, 'એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હમેશા કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે તે માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું.