બ્રેકિંગ ન્યુઝ
VTV / users need to do minimum rs 45 recharge
Last Updated: 04:38 PM, 18 January 2020
ADVERTISEMENT
ગ્રાહકોએ 28 દિવસના રિચાર્જ માટે ઓછામાં ઓછું 45 રૂપિયા રિચાર્જ કરવું પડશે. આ રીચાર્જ તમામ સેવા ક્ષેત્રના ભારતી એરટેલ અને ભારતી હેક્સાકોમ ગ્રાહકોએ કરવું પડશે.
રિચાર્જ નહીં કરાવનાર ગ્રાહકોની સેવાઓ કરાશે બંધ
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા અનુસાર, જો અવધિની સમાપ્તિ થયાં બાદ 45 રૂપિયા અથવા તેથી વધુનું રિચાર્જ કરવામાં નહીં આવે તો, કંપની 15 દિવસ માટે મર્યાદિત સેવાઓ પ્રદાન કરશે. જો 15 દિવસના આ સમયગાળા દરમિયાન રિચાર્જ કરવામાં નહીં આવે, તો બધી સેવાઓ બંધ થઈ જશે. નોંધનીય છે કે તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્રમાં ઉગ્ર સ્પર્ધાને કારણે એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓએ તેમના દરોમાં વધારો કર્યો છે.
સુનીલ ભારતી મિત્તલે આપ્યું નિવેદન
દેવુંના ભાર હેઠળ રહેલી ટેલિકોમ ક્ષેત્રની ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલે તાજેતરમાં કહ્યું હતું કે, ઓલ-ટાઇમ લો ટેરિફ અને ઉંચા વપરાશના જોડાણ ટેલિકોમ ઉદ્યોગને મારી રહ્યા છે. રોકાણ સુરક્ષા અને ઉપભોક્તાના હિત વચ્ચે સંતુલન રાખવા માટે સેક્ટર નિયમનકારે તુરંત હસ્તક્ષેપ કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.