એલોપેથી દવાઓથી આગળ જતાં નુકસાન જ થાય છે. તેમ છતાં લોકો નાની અમથી બાબતોમાં દવાઓ ખાઈને કામચલાઉ સારું કરી દે છે. પણ તેના કરતાં જો નાની-નાની તકલીફોમાં ઘરના જ કેટલાક ઉપચાર કરી લેવામાં આવે તો કોઈ જ આડઅસર અને દવાઓ વિના સારું થઈ શકે છે. અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને કેટલીક તકલીફો માટે બેસ્ટ, સસ્તાં અને સરળ પ્રાચીન નુસખાઓ જણાવીશું. તો આજે તમે પણ જાણી લો.
નોંધી લો આ કારગર નુસખાઓ
તજ પાચનશક્તિ વધારે છે તથા શરદી-સળેખમ, ઉધરસમાં પણ લાભ થાય છે. રોજ 1 કપ નવશેકા પાણીમાં ચપટી તજ પાઉડર મિક્સ કરીને પીવો.
પેટમાં દુખાવો હોચ તો પાણીમાં ડુંગળીનો રસ, લીંબુનો રસ તથા મીંઠુ મેળવી પીવડાવી દો તરત જ રાહત મળશે.
મોંમાં ચાંદા હોય તો એલચી વાટી તેમાં મધ મેળવી લગાવવાથી ચાંદા મટી જાય છે.
2-3 ગ્રામ એલચીને વાટી તેમાં સાકર મેળવી લેવાથી પેશાબની બળતરા તથા પેશાબ ઓછો થવાની સમસ્યામાં તરત જ લાભ થાય છે.
તજને પાણીમાં ઉકાળી તેમાં આદુ, લવિંગ તથા એલચી મેળવી પીવાથી વા જન્ય તથા કફજન્ય વિકારો મટી જાય છે.
તજના ચૂર્ણમાં મધ મેળવી ખાવાથી શ્વાસ-કફમાં લાભ થાય છે.
એડકી ન રોકાય તો 2 એલચી અને 3 લવિંગને પાણીમાં ચાની જેમ ઉકાળી પીવાથી એડકી રોકાઈ જશે. જો ન રોકાય તો આ પ્રયોગ દિવસમાં 3-4 વાર પણ કરી શકો છો.
કાનના દુખાવામાં અથવા નજલામાં કાચી ડુંગળીને ગરમ કરી તેનો રસ કાઢી કાન કે નાકમાં નાખવાથી તરત જ લાભ થાય છે.
એક પોટલીમાં 8-10 ડુંગળી બાંધી ઘરની બહાર લટકાવવાથી હવામાં ફેલાતા અનેક પ્રકારના બેક્ટેરિયા તથા વાયરસથી બાળકોને બચાવવામાં મદદ મળશે.
ચિકનપોક્સ થયા હોય તો 1-1 ચમચી ડુંગળીના રસમાં 2-3 કાળામરી વાટી થોડાં દિવસો સુધી દિવસમાં 2 થી 3 વાર પીવડાવવાથી મટી જાય છે તથા તેના ડાઘ પર રહેતા નથી.