વિધવાન લોકોનું માનવું છે કે પૂજીના સમયે ધૂપ સળગાવવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે. શું તમે જાણો છો આ ઉપરાંત પણ એના અન્ય જ્યોતિષના ટોટકા છે. માનવામાં આવે છે કે આ ટોટકાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથે સાથે સારા દિવસો પણ આવવા લાગે છે.
લોબાનની ધૂપ
લોબાનને અંગારા પર મૂકીને સળગાવવામાં આવે છે. લોબાનનો ઉપયોગ મોટાભાગે મંદિર અને દરગાહ જેવી જગ્યાઓ પર થાય છે. લોબાનને સળગાવવાના નિયમ હોય છે.
ગોળ-ઘીની ધૂપ
એને અગ્નિહોત્ર સુગંધ પણ કહેવામાં આવે છે. ગુરુવાર અને રવિવારે ગોળી અને ઘી મિક્સ કરીને એને કુંડા પર સળગાવો. તમે ઇચ્છો તો એમાં બની ગયેલા ભાત પણ મિક્સ કરી શકો છો. એનાથી જે સુગંધિત વાતાવરણ નિર્મિત થશે એ તમારા મન અને માથાના તણાવને શાંત કરી દેશે.
નકારાત્મક શક્તિઓને દૂર કરવા
પીળો સરસવ ગૂગળ લોબાન ગૌઘૃતને મિક્સ કરીને એની ધૂપ બનાવી લો.સૂર્યાસ્ત બાદ અને અસ્ત થતા પહેલા મીણબત્તી સળગાવીને તમામ મિશ્રિત સામગ્રી એની પર નાંખી દો અને એનો ધુમાડો સંપૂર્ણ ઘરમાં ફેલાવો. આવું 21 દિવસ સુધી કરો.
કપૂરની ધૂપ
કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષ શમન થાય છે. દરરોજ સવાર અને સાંજે ઘરમાં સંધ્યાકાળે કપૂરને સળગાવો.
ગૂગળની ધૂપ
ગૂગળનો ઉપયોગ સુગંધ અને ઔષધિ માટે પણ કરવામાં આવે છે. એની સુગંધ મીઠી હોય છે અને આગમાં નાંખીને એ જગ્યા સુગંધથી ભરાઇ જાય છે. એને ઘણા રોગોમાં પણ લાભદાયક માનવામાં આવે છે.