વિદ્વાન લોકોનું માનવું છે કે પૂજાના સમયે ધૂપ સળગાવવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે. શું તમે જાણો છો આ ઉપરાંત પણ એના અન્ય જ્યોતિષના ટોટકા છે. માનવામાં આવે છે કે આ ટોટકાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથે સાથે સારા દિવસો પણ આવવા લાગે છે.
અત્યારે નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી એટલે માતાજીની કૃપા મેળવવાનો અસીમ અવસર. સોમવારે એટલે કે સાત ઓક્ટોબરે નોમ અને મંગળવાર આઠ ઓક્ટોબરે દશેરાનો તહેવાર છે. હિન્દુઓની નવરાત્રીની સાથે સાથે અત્યારે બંગાળીઓનો દુર્ગાઉત્સવ પણ ચાલી રહ્યો છે. મોટાભાગે દુર્ગાપુજા બાદ દસમના દિવસે દુર્ગામાતાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે નવરાત્રીના દિવસોમાં પુજા પાઠ કરવાનું ખુબ મહત્ત્વ છે, પરંતુ આ સમયે પુજા પાઠ કરનારી વ્યક્તિએ કોઇ પણ વાતમાં ગુસ્સો ન કરવો જોઇએ. ગુસ્સાના કારણે વ્યક્તિની એકાગ્રતા ભંગ થઇ જાય છે. આપણુ મન પુજામાં લાગી શકતુ નથી. આ દિવસોમાં ધર્મ કર્મમાં મન લગાવવું જોઇએ. અધાર્મિક કાર્યોથી બચવુ જોઇએ. નવરાત્રિમાં કોઇ પણ શુભ કાર્યો કરી શકાય છે.
નવરાત્રીમાં શું કરવાથી માતાજી ખુશ થાય છે
એવી માન્યતા છે કે માતાજીને ધુણી એટલે કે ધુપ ખુબ પસંદ છે. તેથી નવરાત્રીના દિવસોમાં સવાર સાંજ ધુપ કરવો જોઇએ. લોબાન, ગુગળ અને ચંદન પાવડર ભેળવીને ધુણી કરવાથી મા ખુશ થાય છે અને ઘરમા પવિત્રતા વધે છે. વરસાદના કારણે ઘરમા ફેલાયેલી ગંઘ પણ ખતમ થાય છે. ઘણા હાનિકારક સુક્ષ્મ કીટાણુઓ ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે