રાજકોટઃ ગુજરાતમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોવા છતા પ્રાણીઓના શિકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે રાજકોટ નજીકના માહિકા ગામમાં આવેલ અલખઘણી આશ્રમમાં સાધુ પાસેથી ચીંકારાના અવશેષો મળી આવ્યા છે. સાધુએ તાંત્રિક વિધિ કરવા માટે ચીંકારાના અવશેષો સાચવી રાખ્યા હતા.
વનવિભાગના અધિકારીઓને સાધુના કબાટમાથી ચીંકારાના શિંગડા ચામડી અને ચાર પગ મળી આવ્યા હતા. સાધુ તાંત્રિક વિધિ કરવા માટે ચીકારાના અવશેષોનો ઉપયોગ કરતો હતો. જેની જાણ વનવિભાગને થતા વન વિભાગ દ્વારા સાધુની ધરપકડ કરવામાં આવી છે.
આ સાધુ પાસેથી પુછપરછ કરતા સામે આવ્યુ કે સાધુએ એક વર્ષ પહેલા 4 હજાર રૂપિયામાં આદિવાસી પાસેથી અવશેષો ખરીદ્યા હતા. ત્યારે હવે વનવિભાગના અધિકારીઓએ હાલ આશ્રમના સાધુ જયસીધ રાજપૂત ઉર્ફે કાળુબાપુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.