ઘરમાં અનેક એવા કામ કરવામાં આવે છે જેનો તમારી સફળતામાં ભાગ હોય છે. વાસ્તુ અનુસાર રસોડામાં રહેતી અનેક નાની મોટી વસ્તુથી ઘરના સભ્યો અને વેપાર પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ કરે છે. જાણો દૂધનો તમારા જીવન પર શું પ્રભાવ પડે છે...
- દૂધનો રંગ સફેદ હોય છે. સફેદ વસ્તુઓને ચંદ્રમાની કારક માનવામાં આવે છે. દૂધ ઊભરાવુ કે ઢોળાવુ એ સારી નિશાની નથી. આમ થવાથી પરિવારના કોઇ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે..
- શુકન શાસ્ત્રમાં માનવામાં આવ્યુ છે કે દૂધ ગરમ થઇ જાય તો તેને જાળીથી ઢાંકી દેવું જોઇએ. દૂધ ક્યારેય સંપૂર્ણપણે ખુલ્લુ ન રાખવું જોઇએ. એવું માનવામાં આવે છે કે પિતૃઓ દૂધ ખાંડ અને ચોખાથી સંતુષ્ટ થાય છે. દૂધને ખુલ્લુ રાખવાથી પિતૃગણ આકર્ષિત થાય છે. આથી તેને શુભ નથી માનવામાં આવતુ.
- એવુ માનવામાં આવે છે કે દૂધ ઊભરાઈ જાય તો તેને તરત જ સાફ કરી દેવું જોઈએ. તેને પગ લાગે તો અપશુકન માનવામાં આવે છે. આમ કરવાથી પરિવારના સભ્યોમાં મતભેદ ઉભા થઇ શકે છે.