હાલ વરસાદની ઋતુમાં ઘરે ક્યાં તો બહાર માખી અને મચ્છરોનો અસહ્ય ત્રાસ હોય છે. જેના માટે આપણે કેટલીક વખત અવનવા પ્રયત્નો કરીએ છીએ તેમ છતાં ઓછા થતા નથી અને આપણે કંટાળી જઇએ છીએ. તો ચલો અમે તમને જણાવીએ આજે એક વો ઘરગથ્થૂ ઉપાય જે અપનાવશો તો મીનિટોમાં જ માખી-મચ્છર ભાગી જશે.
માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય
લીંબૂનો ઉપયોગ કરીને તમે માખી દૂર કરી શકો છો
વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે પછી ઘરમાં આવીને ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઈ જાય છે. તો આજે અમે તે માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય જણાવી રહ્યા છે.
વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે.
લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે.
એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે.
મચ્છરોથી રાહત
લસણની સ્મેલથી મચ્છરો ઘરમાં આવતા અટકે છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમે લસણીની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જ્યાં મચ્છર થતાં હોય ત્યાં ચારે બાજુ છાંટી દો. જેનાથી મચ્છરો ભાગી જશે.
વંદાથી રાહત
જે મહિલાઓ વંદાથી ગભરાઇ જતી હોય એને રાહત મેળવવા માટે લસણ, ડુંગળી અને મરીને સરખા પ્રમાણમાં વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ પાણીમાં નાંખી એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને બોટલમાં નાંખીને એ જગ્યાએ છાંટો જ્યાં વધારે વંદાનું પ્રમાણ હોય. એની તીવ્ર ગંધથી વંદાઓ ભાગવા લાગશે.