ખજૂર એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે જેને કોઇ પણ સીઝનમાં ખાવી ફાયદાકારક જ છે. સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે ખજૂર શિયાળામાં જ ખવાય, પરંતુ એવુ બિલકુલ નથી. ખજૂર તમે કોઇ પણ સીઝનમાં ખાઇ શકો છો.
ગુણોનો ખજાનો છે ખજૂર
મહિલાઓએ રોજ ખાવી જોઈએ ખજૂર
આ રીતે કરો ખજૂરનો ઉપયોગ
ખાસ કરીને મહિલાઓએ તો રોજ ખજૂર ખાવી જ જોઇએ. ખજૂરને રોજિંદા ડાયેટમાં શા માટે સામેલ કરવી જોઇએ? શા માટે આપણા વડીલો એમ કહેતા કે ખજૂર સ્વસ્થ રાખે છે અને મજબુત બનાવે છે. જાણી લો કેટલાક કારણો.
ઘણા પ્રકારના એમિનો એસિડથી ભરપુર ખજૂર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ(દ્રાવ્ય અને અદ્રાવ્ય) ફાઇબર્સનો ખજાનો છે. તે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે અને તમારા પાચનતંત્રને પણ મજબુત કરે છે.
ખજૂરમાં મળી આવતુ પોટેશિયમ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ડાયેરિયા જેવી સમસ્યા થતા ખજૂરનો ઉપયોગ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોવાય છે.
ગર્ભવતી મહિલાઓમાં એનિમિયા થાય ત્યારે તે અસરકારક ઉપાય છે. તેમાં કેલ્શિયમની સાથે આયરનની પણ ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને શરીરને આવશ્યક ઉર્જા પણ પ્રદાન કરે છે.
મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, વિટામીન બી-5, વિટામીન બી-3 અને સેલેનિયમથી ભરપુર હોવાના કારણે તે હાડકા અને દાંતને મજબુત બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે આંતરડામાં થતા સંક્રમણથી પણ બચાવે છે.
સાંધામા દુખાવાની સમસ્યા હોય તો રોજ થોડી માત્રામાં ખજૂરનુ સેવન કરવાથી લાભ થાય છે. તેનાથી કેલ્શિયમની કમી પણ પુરી થાય છે.
કબજિયાતની સમસ્યા હોય તો ખજૂર ખુબ ફાયદો કરે છે. આ માટે ખજૂરને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે ઉઠીને તે ખાવ. તમા પ્રચુર માત્રામાં પોષકતત્વો હોય છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
મગજ અને હ્રદય માટે પણ ખજૂર લાભદાયી છે. તેમાં રહેલા વિટામીન્સ, મિનરલ્સ અને અન્ય પોષકતત્વો નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે સાથે મગજને પણ સક્રિય રાખે છે અને દિલની બીમીરીના ખતરાને ઘટાડે છે.
ખજૂરમાં પ્રાકૃતિક શર્કરા હોય છે, જે ગ્લુકોઝ, ફ્રકટોઝ અને સુક્રોઝના રુપમાં હોય છે. તે શરીરમાં ઉર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. દિવસભર તેના પ્રયોગથી વ્યક્તિ એનર્જેટિક રહી શકે છે.
આંખો માટે પણ ખજૂર ખુબ સારી છે. તેમાં વિટામીન એ અને એન્ટીઓક્સિડન્ટ તત્વ ભરપુર માત્રામાં હોય છે, તે રતાંધળાપણુ અને આંખોની અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.