દરેકના ઘરમાં ગરમ મસાલા રહેતા જ હોય છે તેમાં એક વસ્તુ છે કાળા મરી. ઘરમાં જ મળી રહેતા આ મરીનો પ્રયોગ અનેક સમસ્યામાં લાભદાયી બની શકે છે. જો સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં મરીનો ભૂકો નાંખીને લેવામાં આવે તો સ્વાસ્થ્યની વઘેલી ફેટ, ગળામાં દુઃખાવો, ડિહાઈડ્રેશન, શરદી ખાંસી વગેરેમાં પણ રાહત મળે છે. આ પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો જાણો ગરમ પાણી અને મરી કઈ રીતે તમને લાભ આપી શકે છે.
શરીર માટે લાભદાયી છે મરીનો ઉપયોગ
ગરમ પાણી અને મરીને સવારે લેવાથી થશે લાભ
શરીરની 5 સમસ્યાઓને દૂર કરે છે આ પ્રયોગ
કબજિયાત દૂર કરવા
જો કાળા મરીના પાણીનું સવાર-સવારમાં સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું પેટ યોગ્ય રીતે સાફ થઈ જાય છે, અને તમને પણ વર્ષો જૂના કબજીયાતમાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત પાચનશક્તિમાં વધારો થાય છે, જે તમને પેટને લગતી દરેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
ગળા માટે લાભકારી
કાળા મરીના પાવડર અને ઘીના મિશ્રણને એક સાથે ચાટવાથી ગળાની અંદર થયેલી કોઈપણ પ્રકારની ખરાબી દૂર થઇ જાય છે. જો તમારું ગળું બેસી ગયું હોય તો તે પણ ખુલી જાય છે. આ રીતે કાળા મરીની પેસ્ટ નું સેવન કરવાના કારણે તમારો અવાજ સૂરીલો થઇ જાય છે. ૮ થી ૧૦ કાળા મરીને પાણીની અંદર ઉકાળી લઇ ત્યારબાદ તેના કોગળા કરવાથી ગળાની અંદર થયેલા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી છુટકારો મેળવી શકાય છે. ઉધરસ આવતી હોય તો મધની અંદર કાળા મરીનો પાવડર ભેળવી દિવસમાં ત્રણથી ચાર વખત ચાટવાથી ઉધરસની સમસ્યા દૂર થઈ જાય છે.
ડિહાઇડ્રેશન
જો તમને ડિહાઇડ્રેશનની સમસ્યા હોય તો રોજ સવારમાં ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીની અંદર કાળા મરીના પાવડરને ઉમેરી તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આખો દિવસ થાક લાગતો નથી અને શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી જળવાઈ રહે છે.
સ્ટેમિના વધારવા
જો સવારમાં આ રીતે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે શરીરની ક્ષમતામાં વધારો થાય છે અને શરીરની પાચન શક્તિ પણ વધે છે. જેથી કરીને કબજિયાતની સમસ્યા પણ રહેતી નથી અને શરીરની અંદર રહેલા બધા જ ખરાબ તત્વો બહાર ફેંકાઈ જાય છે.
ફેટ ઘટાડવા
જો ગરમ પાણીની અંદર કાળા મરીનો પાવડર ભેળવીને પીવાથી શરીરની વધારાની ફેટ દૂર થઈ જાય છે, અને શરીરની અંદર વધુ માત્રામાં કેલેરી બર્ન થાય છે. જે તમારા વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
શરદી ઉધરસમાં
જે લોકોને વારંવાર શરદી થતી હોય અને શરીરની અંદર કફ જામી જતા હોય તેવા લોકો માટે કાળા મરીનું આ પાણી રામબાણ ઈલાજ સમાન માનવામાં આવે છે. કાળા મરીનું આ પાણી પીવાથી શરીરની અંદર જામેલા બધા જ કફ દૂર થઈ જાય છે અને શરદીમાં પણ રાહત મળે.