ગળો એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. પોતાના ચિકિત્સકીય ગુણોના કારણે તેને દવાના રૂપમાં પણ વાપરવામાં આવે છે. ગળાના પાન, ફૂલ, મૂળ દરેક ઓષધિય ગુણોથી ભરપૂર છે. તેના કારણે તેને અમૃત માનવામાં આવે છે. તેના પાન હાર્ટ શેપના હોય છે. જેના કારણે તેને હાર્ટ લિવ્ડ મૂનસીડ્સ પણ કહેવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું ગળો સ્વાસ્થ્ય માટે કઈ રીતે મદદરૂપ છે.
પ્લેટલેટ્સ વધારે છે અને ડેન્ગ્યૂ સામે લડે
ગળો તાવ અને અન્ય રોગોમાં મદદ કરે છે. તેની પ્રકૃતિ જ્વરનાશક છે. જીવન માટે ખતરારૂપ બીમારીઓના સંકેતો અને લક્ષણોને ઓછા કરે છે. લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે. ગળાની સાથે તુલસીના પાન મિક્સ કરીને લેવાથી પ્લેટલેટ્સની સંખ્યા વધે છે અને તે ડેન્ગ્યૂ સામે લડે છે.
વજન ઘટાડવામાં કરે છે મદદ
ગળાનો જ્યૂસ ઇમ્યુનિટી અને મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડે છે. પાચન ક્ષમતાને વધારે છે અને સાથે સરળતાથી વેટ લોસ કરે છે. ગિલોયની સાથે ત્રિફળા મિક્સ કરીને મધ સાથે સવાર સાંજ ખાવામાં આવે તો સ્થૂળતામાંથી પણ રાહત મળે છે.
ગળાના જ્યૂસમાં મધ મેળવીને સવારે ખાલી પેટ લેવામાં આવે તો રાહત મળે છે. તમે ઈચ્છો તો છાશની સાથે પણ તેને પી શકો છો. આમ કરવાથી તમારું વજન ઝડપથી ઉતરશે.
ઉપયોગમાં રાખો આ વાતનું ધ્યાન
5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ગળાનો જ્યૂસ આપવો નહીં. તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ પ્રમાણે કરવો હિતાવહ છે.
-જો તમે ડાયાબિટીસની દવા લો છો તો ડોક્ટરની સલાહ વિના ગળો ઉપયોગમાં ન લો.
ગળો કબજિયાત અને ઓછા લોહીની સમસ્યાને જન્મ આપી શકે છે. તો ડોક્ટરની સૂચના મુજબ ઉપયોગમાં લો.
ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ જ આનો ઉપયોગ કરવો હિતાવહ છે.