અમેરિકાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કાશ્મીરમાં પ્રતિબંધો પર ઢીલ આપવાનો આગ્રહ કર્યો છે. એમણે રાજનીતીની નજરબંધી અને કાશ્મીરમાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો આગ્રહ કર્યો છે. મોર્ગને નજરબંધી અને કાશ્મીર ખીણના કેટલાક ભાગમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવા પર ચિંતા વ્ચક્ત કરી છે.
મોર્ગન ઓર્ટાગસે કહ્યું કે અમે આગ્રહ કરીએ છીએ કે કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઇએ. જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી અનુચ્છેદ 370ની જોગવાઇને રદ્દ કર્યાને 1 મહીનો વીતી ચૂક્યો છે. કેન્દ્ર સરકાર તરફથી 5 ઓગસ્ટે લેવામાં આવેલો આ નિર્ણય ખીણના લોકો માટે ઝટકો સમાન હતો. આ નિર્ણયની ટીકા કરનાર નારાજ છે તો સમર્થન કરનાર પણ સાવચેતી રાખી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ 16 સપ્ટેમ્બરે જમ્મૂ કાશ્મીરમાં આવવા અને જવાની છૂટ સહિત વિભિન્ન અરજીઓના એક સમૂહ પર સુનાવણી કરશે. કોર્ટે ગુરુવારે અરજીઓ પર સુનાવણી દરમિયાન આ નિર્ણય લીધો. કાશ્મીર ટાઇમ્સની સંપાદક અનુરાધા ભસીનના વકીલે પીઠને કહ્યું કે મીડિયાને ગત એક મહીનાથી કાર્ય કરવાની અનુમતિ નથી આપવામાં આવી રહી છે. આ પીઠની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ કરી રહ્યા હતા.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તેનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે શ્રીનગરથી સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. કાર્યકર્તા તહસીન પૂનાવાલાના વકીલે કહ્યું કે લોક સ્વતંત્ર રીતે યાત્રા કરવામાં અસમર્થ છે. એમને મૂળ અધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે અને એમની પહોંચ હોસ્પિટલ સુધી પણ નથી.