ભારત અને ચીન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેની ઉપર આખી દુનિયાની નજર છે. કારણ કે બે પરમાણુ હથિયાર ધરાવતા દેશો વચ્ચેના વિવાદની અસર વિશ્વના રાજકારણ પર પડે છે. આ દરમિયાન ઘણા USA સેનેટરોએ ભારત સામે ઇરાદાપૂર્વક આક્રમક વલણ અપનાવવા માટે ચીન પર આકરા પ્રહાર કર્યા છે.
USA સેનેટર માર્કો રુબિઓએ સોમવારે USAમાં ભારતના રાજદૂત તરણજિત સિંઘ સંધુ સાથે વાત કરી. તેમણે કહ્યું કે ચીન તરફથી ભારત સાથે અકારણ આક્રમક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે, અમે આ મુદ્દે ભારતની સાથે ઉભા છીએ. તેમણે કહ્યું કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત ચીન સામે ઝૂકશે નહીં.
Today I spoke to @SandhuTaranjitS to express our solidarity with the people of #India as they firmly confront unwarranted & lawless armed aggression by the Communist Party of #China.
India has made it clear,they will not be bullied by Beijing.
તેમના સિવાય સેનેટના બહુમતીના નેતા મીચ મેકોનેલે પણ એક સપ્તાહમાં બીજી વખત ચીન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ચીને જાપાની ક્ષેત્રમાં સબમરીન શરૂ કરી દીધી છે, ભારત સાથે યુદ્ધ શરૂ કર્યું છે. ચીને ઇરાદાપૂર્વક આ વાતાવરણ બનાવ્યું છે અને ભારત સાથે ઝઘડો શરૂ કર્યો છે. મીચે કહ્યું કે ચીને 20 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આ ખૂબ ચિંતાનો વિષય
આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ ખૂબ ચિંતાનો વિષય છે, તે બંને દેશો સાથે વાતચીત કરવા તૈયાર છે. બીજી તરફ અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે યુએસ તેની સેનાને યુરોપથી ખસેડીને એશિયન દેશોમાં તૈનાત કરશે. કારણ કે ચીન ભારત પર સતત આક્રમક બની રહ્યું છે, ઉપરાંત, તે દક્ષિણ ચીન સમુદ્રમાં આગળ વધી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ગલવાન ખીણમાં 15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી બંને દેશોમાં તણાવની સ્થિતિ છે. અત્યાર સુધી સરહદ પર ઘણી વાતચીત થઇ છે, પરંતુ સહમતી સધાઈ શકી નથી.