USA રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઠાર મરાયેલ ઈરાની મિલિટરી કમાન્ડર કાસિમ સુલેમાની નવી દિલ્હીમાં 2012માં ઇઝરાયેલી ડિપ્લોમેટની ગાડીમાં થયેલા માટે જવાબદાર હતો. આ મુદ્દાથી US ઈરાન વચ્ચેની તંગદિલીમાં ભારત પણ ઘસડાયું છે. ભારત કેવી રીતે આ સળગતા કાકડાના ભોગ બન્યું?
ક્રૂડની ધમાલ
અમેરિકાએ ઈરાન ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતે ઈરાન સાથે ક્રૂડ તેલની આયાત બંધ કરી છે. આમ છતાં ભારત પૂર્વ એશિયાના દેશો જેવા કે ઇરાક, સાઉદી અરેબિયા, UAE અને કુવૈત પાસેથી તેની 84% તેલની આયાત ભોગવે છે. આ તંગદિલી વધવાથી આ તેલના ભાવો વધશે અને ઓઇલ ટેંકરના ઇન્શ્યોરન્સ કવચના ભાવો પણ વધારશે.
આ કારણોસર ભારતના વિદેશમંત્રી S જયશંકરે તહેરાન અને વોશિંગટન સાથે વાટાઘાટો શરુ કરી છે.
વ્યૂહાત્મક રીતે મહત્વના આ હાર્બર ઉપર તોળાયું જોખમ
ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન ત્રણેય ભેગા થઇને ચબાહાર હાર્બર બનાવી રહ્યા છે. આ હાર્બર પાકિસ્તાને ચીનની મદદથી બનાવેલા ગ્વાદાર હાર્બરથી 100 કિમીથી પણ ઓછા અંતરે છે. ચીન થોડા સમયથી અરબ સાગરમાં પગ પેસારો કરી રહ્યું છે.
અમેરિકાએ ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ચબાહાર હાર્બરને મુક્ત રાખવામાં આવ્યું છે કેમ કે અમેરિકા પણ આ હાર્બરથી અફઘાનિસ્તાન સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે.
ભારતે વર્ષ 2018-19માં ઈરાન સાથે તોતિંગ 17 અબજ ડોલરનો વ્યાપાર કર્યો છે જેમાંથી 80% વ્યાપાર ઈરાન સાથે કરેલી આયાત છે.
ભારત અને ઈરાનના ખાટા મીઠા સંબંધો
ભારત આ પરિસ્થિતિમાં અમેરિકા અને ઈરાન બંનેને ખુશ રાખવા પ્રયત્ન કરી રહ્યું છે. નોંધનીય છે કે કાશ્મીરમાં 370ની કલમ રદ કરવા મુદ્દે તહેરાન તરફથી ભારતે ટીકાઓનો સામનો કર્યો છે. ભૂતકાળમાં 20005માં ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટને ભારતે UN સિક્યોરિટી કાઉન્સિલમાં લઇ જતા સંબંધો વણસતા તહેરાને ભારત સાથેના વ્યાપારી સંબંધો ઓછા કરવાની ધમકી આપી હતી.
4 વર્ષ પૂર્વે ભારતે ઈરાનના પરમાણુ પ્રોગ્રામ ઉપર પ્રતિબંધ લાદવાના USના અભિગમને સમર્થન આપ્યું હતું. ભારત માટે ચીન, પાકિસ્તાન સિવાય હવે ત્રીજું પાડોશી દેશ ઈરાન પણ પરમાણુ શાસ્ત્રો રાખે તે ખૂબ ચિંતાનો વિષય બની જાય.
સુલેમાનીના મૃત્યુ બાદ ઈરાની સેનાનું નેતૃત્વ ઇસ્માઇલ ઘાનીએ સંભાળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન પ્રતિકાર કરશે તો અમેરિકા તેના 52 સાંસ્કૃતિક વારસાના સ્થળોને નુકશાન પહોંચાડશે.