અમેરિકામાં કોરોના વાયરસના કારણે ઇટાલી કરતા પણ વધુ ગંભીર પરિસ્થિતિ છે. અમેરિકામાં મહામંદીના પણ એંધાણ છે ત્યારે ત્યાં ઘણા બધા ભારતીયો મુશ્કેલી મુકાઈ ગયા છે જે બાદ ભારત સરકાર દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયોના વિઝા લંબાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
ભારતે અમેરિકાને કરી હતી વિંનતી
કોરોનાને કારણે અમેરિકામાં મહામંદીના એંધાણ
H1B વિઝા ધરાવનારા લોકોમાં સૌથી વધારે ભારતીય
ભારતે અમેરિકાને વિઝા લંબાવવા માટે વિંનતી કરી તેમાં H1B વિઝાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તેને મંજુરી આપી દેવામાં આવી છે. કોરોના વાયરસના કારણે અમેરિકામાં ઘણા બધા ભારતીયો ફંસાયેલા છે.
અમેરિકાની હાલની પરિસ્થિતિ મુજબ ઘણા બધા લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે. અમેરિકામાં મહામંદીના એંધાણ છે. મહામંદીના કારણે ઘણા બધા લોકો પોતાની નોકરી ગુમાવી દેશે જેને કારણે ભારતીય મૂળના લોકોને પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે. નોંધનીય છે કે H1B વિઝાના કારણે જેતે વ્યક્તિએ જો નોકરી સમાપ્ત થઇ જાય તો બીજા 60 દિવસની અંદર નવી નોકરી શોધવી આવશ્યક છે. અમેરિકામાં H1B વિઝા ધરાવતા લોકોમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે.
ભારતીયોના વિઝાને લઇને વિદેશ સચિવે હર્ષવર્ધને બુધવારે અમેરિકાના સ્ટીફન ઈ. બેગુન સાથે ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે વિદેશ સચિવ અને અમૅરિકાના વિદેશ મંત્રી વચ્ચે કોરોના વાયરસ મહામારી સામે લડવા તથા તેને નિયંત્રિત કરવા માટે સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી. અમેરિકામાં અત્યારથી ઘણા બધા લોકોએ પોતાની રોજગારી ગુમાવી દીધી છે, હજારો લોકોએ અત્યારે રોજગારી ભથ્થાં માટે માંગણી કરી છે.