ડોનાલ્ડ ટ્રમ્પ જે દિવસે ભારત પ્રવાસ પર હતા અને તે દિલ્હી પહોંચે તે પહેલા દિલ્હીની સ્થિતિ કથળી હતી. જેને દિલ્હીની હિંસા એ હદે વકરી હતી કે સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર ઘરમા ઘૂસીને હુમલા કરવાનું જ બાકી રાખ્યું હતું અસામાજિક તત્વોએ. દિલ્હીની આ હિંસાને પહલે USને પોતના નાગરિકોની ચિંતા થઈ છે. USએ પોતાના નારિકોને આપી દિધી છે આ સૂચના.
USની પોતાના નાગરિકો માટે એડવાઇઝરી
દિલ્હી હિંસા બાદ USએ એડવાઇઝરી જાહેર કરી
ભારતમાં રહેતા US નાગરિકો માટે સિક્યુરિટી અલર્ટ
દિલ્હીમાં થયેલી હિંસા મામલે હવે USએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. USએ ભારતમાં રહેતા USનાગરિકોને ઉત્તર-પૂર્વ દિલ્હીનાં વિસ્તારોથી દૂર રહેવા માટે અલર્ટ આપ્યું છે. એડવાઈઝરીમાં હિંસક પ્રદર્શનની માહિતી પણ આપવામાં આવી છે. અને આવા પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
US સાંસદોએ આ પહેલા અનેક પ્રતિક્રિયા આપી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઈને દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર અમેરિકાના કેટલાક સાંસદોએ પ્રતિક્રિયા આપી હતી. એક જાણીતી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલે કહ્યું કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતાનું ખતરનાક રૂપે વધવું ભયાનક છે.’ એટલું જ નહી અનેક સાંસદોએ પણ તેમની જેમ અનેક પ્રતિક્રિયા આપી હતી.
દિલ્હીની ઈમેજ ખરડાઈ
દિલ્હીની હિંસાને રોકવા માટે સ્પેશિયલ કમિશર તરીકે એસ.એન શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો છે. જ્યારે અજીત ડોભાલને પણ દિલ્હી હિંસાને પગલે કામગીરી સોંપવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ સતત બેઠકો કરી રહ્યાં છે. આ હિંસાથી ન ફક્ત શહેરીજનોની સુરક્ષા જોખમાઈ છે. દેશની છબી પણ ખડાઈ છે. ત્યારે સરકાર ડેમેજ કંન્ટ્રોલ કરવા હવાતિયા મારી રહી છે.