નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર અમેરિકાના કેટલાક સાંસદોએ પ્રતિક્રિયા આપી છે. પીટીઆઇ મુજબ, અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલે કહ્યું કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતાનું ખતરનાક રૂપે વધવું ભયાનક છે.
CAAને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર અમેરિકાના કેટલાક સાંસદોએ પ્રતિક્રિયા આપી
US સાંસદે કહ્યું- ધાર્મિક સ્વતંત્રતાને ઓછી કરનાર કાયદાને પ્રોત્સાહન આપવું ના જોઇએ
ડેમોક્રેટિક પાર્ટીની પ્રમિલાએ કહ્યું, લોકતંત્રને વહેંચવુ અને ભેદભાવ કરવો સહન ન કરવો જોઇએ અને ન ધાર્મિક સ્વતંત્રતાને ઓછી કરનાર કાયદાને પ્રોત્સાહન આપવું જોઇએ. દિલ્હીમાં થયેલી હિંસાને લઇને પ્રમિલાએ એક સંસદીય રિજ્યોલૂશન પણ રજૂ કર્યો હતો જેમા જમ્મૂ કાશ્મીરમાં કોમ્યૂનિકેશન પર પ્રતિબંધ ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી.
જ્યારે અમેરિકી સાંસદ એલન લૉવેન્થલે પણ હિંસા પર કહ્યું, 'નૈતિક નેતૃત્વની દુ:ખદ અસફળતા'. તેઓએ કહ્યું કે ભારતમાં માનવાધિકારના ખતરાની વિરુદ્ધ આપણે જરૂર બોલવું જોઇએ.
ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ અને સીનેટર એલિજાબેથ વૉરેને કહ્યું, ભારત જેવા લોકતાંત્રિક પાર્ટનર્સની સાથે સંબંધ મજબૂત બનાવવો જરુરી છે. પરંતુ આપણે આપણા મુલ્યો, ધાર્મિક આઝાદી અને અભિવ્યક્તિની આઝાદીને લઇને સાચુ પણ બોલવું જોઇએ. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની વિરુદ્ધ હિંસા ક્યારેય પણ સ્વીકાર્ય નથી.
અમેરિકી સાંસદ રશિતા તાલિબે કહ્યું, આ સપ્તાહે ટ્રમ્પે ભારતનો પ્રવાસ કર્યો પરંતુ સત્ય એ છે કે દિલ્હીમાં હાલ મુસ્લિમોની વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસા થઇ રહી છે. આપણે ચુપ ન રહી શકીએ કેમકે દેશભરમાં (ભારત) હિંસા થઇ રહી છે.
અમેરિકી કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે ટ્વિટ કરી કહ્યું કે તે દિલ્હીમાં ખતરનાક ભીડ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવવાની રિપોર્ટથી ચિંતિત છે. નાગરિકતા સંશોધન કાયદાના નામે દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં બુધવારે બપોર સુધીમાં 22 લોકોના મોત થઇ ચૂક્યા છે.
બુધવારે દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં માર્ચ કર્યું અને લોકોને શાંતિની અપીલ કરી. ગત ત્રણ દિવસોથી ચાલી રહેલી હિંસા દરમિયાન ઉત્તર પૂર્વી દિલ્હીમાં ઘણી જગ્યાએ પથ્થરમારો-આગજંપીની ઘટનાઓ બની.