કોરોના વાયરસ આ સમયે સમગ્ર દુનિયા માટે મોતનું બીજું નામ બની ગયું છે. આ જીવલેણ વાયરસે અત્યાર સુધી 13 હજાર લોકોના જીવ લઇ લીધા છે જેમાં ભારતના પણ 6 લોકો સામેલ છે. કોરોનાના મોટાભાગના મામલામાં જોવા મળ્યું છે કે લોકોને સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડા થવાના કારણે એને ફેલાતા મદદ મળી છે. હવે અમેરિકાએ નિરાકરણ લાવી દીધું છે.
અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગે માત્ર 45 મીનિટમાં કોરોના વાયરસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણને મંજૂરી આપી દીધી છે. એનાથી શંકાસ્પદ દર્દી માટે માત્ર 45 મીનિટમાં જાણ થઇ જશે કે એ સંક્રમિત છે કે નહીં. હાલ આ વાયરસની તપાસમાં ખૂબ જ સમય લાગે છે.
આ ટેકનીકને વિકસિત કરતી કેલિફોર્નિયાની આણ્વિક ડાયગ્નોસ્ટિક્સ કંપની સેફેડએ કહ્યું કે શનિવારે એના પરીક્ષણ માટે એફડીએની તરફથી પરવાનગી મળી હતી. હાલ એનો ઉપયોગ હોસ્પિટલો અને આપાતકાલીન સેવાઓમાં કરવામાં આવશે. કંપની આવતા સપ્તાહે આ ટેકનીકને શિપિંગ દ્વારા બીજા રાજ્યમાં પણ પહોંચાડવાની યોજના બનાવી રહી છે.
એફડીએ એક અલગ નિવેદન જારી કરીને એની મંજૂરીની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની 30 માર્ચ સુધી પોતાની ટેસ્ટિંગની ઉપલબ્ધતાને લાગૂ કરવા ઇચ્છે છે. વર્તમાન પરીક્ષણ સરકારી આદેશ હેઠળ હશે અને નમૂનાને એક કેન્દ્રીકૃત પ્રયોગશાળામાં મોકલવા કહેવામાં આવ્યું છે
જણાવી દઇએ કે સંયુક્ત રાજ્ય અમેરિકા પમ કોરોના વાયરસ પરીક્ષણની ઘરેલૂ માંગને પૂરી કરી શક્યું નથી. ઘણા ચિકિત્સા વિશેષજ્ઞોએ ભવિષ્યવાણી છે કે મોડું થવા પર લોકોના જીવન પર જોખમ વધશે અને શક્ય છે કે એનાથી ડૉક્ટર અને નર્સો પણ પ્રભાવિત થશે.
જણાવી દઇએ કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80થી વધારે નવા પૉઝીટીવ કેસ સામે આવ્યા છે. રવિવારે સવાર સુધી સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 354 થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી 6 લોકોના મોત થઇ ગયા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 74 કેસ સામે આવ્યા છે.