ભારત અને ચીનના સરહદ પર તણાવ વચ્ચે અમેરિકાએ બેઇજિંગને ચેતવણી આપી છે કે પાડોશી દેશોને "ધમકી" આપવાના તેના પ્રયાસો ચિંતાજનક છે.
લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી તણાવ પ્રવર્તી રહ્યો છે.
ભારત ઉપરાંત ચીનના તાઈવાન સાથેના સંબંધોમાં પણ તણાવ સર્જાયો છે.
અમેરિકાએ કહ્યું છે કે તે "તેના ભાગીદાર દેશો સાથે ઉભા રહેશે".
લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી તણાવ પ્રવર્તી રહ્યો છે.
આ સમસ્યાઓને દૂર કરવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. ત્યારે અમેરિકાનું તાજેતરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની વાતચીતનો 14મો રાઉન્ડ શરૂ થવાનો છે. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે, "બંને પક્ષો વચ્ચેની સમજૂતી અનુસાર, ચીન અને ભારતના કોર્પ્સ કમાન્ડરોની બેઠક 12 જાન્યુઆરીએ ચીનની બાજુના મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર યોજાશે. "
ભારત ઉપરાંત ચીનના તાઈવાન સાથેના સંબંધોમાં પણ તણાવ સર્જાયો છે.
ચીન તાઈવાનને પોતાનો પ્રાંત ગણાવે છે, જ્યારે તાઈવાન પોતાને એક સાર્વભૌમ દેશ માને છે. દક્ષિણ ચીન સાગરને લઈને ચીનનો તેના ઘણા પડોશી દેશો સાથે વિવાદો પણ ચાલુ છે.બીજી તરફ પૂર્વ ચીન સમુદ્રમાં ચીનનો જાપાન સાથે વિવાદ છે. દરમિયાન, ઘણા નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા છે કે ચીન ભારત સાથેના મુકાબલોનો ફાયદો ઉઠાવીને તાઈવાન પર પોતાનો દાવો મજબૂત કરી શકે છે.
ભારત-ચીન પર અમેરિકાએ શું કહ્યું?
ભારત સાથેની સરહદ પર ચીનના આક્રમક વલણને લઈને સોમવારની પ્રેસ બ્રીફિંગ દરમિયાન પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર, જેન સાકીએ કહ્યું, "યુએસ ભારત-ચીન સરહદ પરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.તેમણે કહ્યું, "અમે વાટાઘાટો દ્વારા સરહદ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ." અમે સ્પષ્ટ છીએ કે અમે પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં બેઇજિંગના વર્તનને કેવી રીતે જોઈએ છીએ. અમે માનીએ છીએ કે આ પરિસ્થિતિને અસ્થિર કરી શકે છે અને અમે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના દ્વારા પડોશીઓને ધમકી આપવાના પ્રયાસોથી ચિંતિત છીએ."અમેરિકાએ એમ પણ કહ્યું છે કે તે "તેના ભાગીદાર દેશો સાથે ઉભા રહેશે".
ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને દેશોઓ વચ્ચે અનેક વખત વાતચીત થઈ
બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ ફેબ્રુઆરી 2021માં ડિસએગેંજમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લશ્કરી અને રાજદ્વારી સ્તરની વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી, બંને પક્ષોએ પેંગોંગ તળાવ અને ગોગરા વિસ્તારના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી સંપૂર્ણ ડિસએગેંજમેન્ટ ની પ્રક્રિયા પૂર્ણ કરી.એક અનુમાન મુજબ, હાલમાં બંને દેશોના 50 થી 60 હજાર સૈનિકો LACના સંવેદનશીલ સેક્ટરમાં તૈનાત છે.
તાઈવાને કહ્યું હતું કે બિડેનના નિવેદનથી ચીનને લઈને તેની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં.
અમેરિકામાં એક એવો કાયદો છે જેના હેઠળ તાઈવાનની સુરક્ષામાં મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો તે શું કરશે તે અંગે અમેરિકામાં કોઈ સ્પષ્ટતા નથી. અમેરિકાના સ્ટેન્ડને રાજનિતીક પેચ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, તાઈવાન અને ચીન વચ્ચે ગત વર્ષના છેલ્લા મહિનામાં તણાવ વધ્યો હતો અને ડઝનબંધ ચીની ફાઈટર જેટ્સે તાઈવાનની એરસ્પેસ પર અતિક્રમણ કર્યું હતું.