ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બહુમતની નજીક આવી ચૂક્યા છે. આ સમયે શક્યતા સેવાઈ રહી છે કે બાઈડેન જ નવા રાષ્ટ્રપતિના રૂપમાં આવનારા 4 વર્ષ સુધી વ્હાઈટ હાઉસમાં જોવા મળે. બાઈડેન સિનિયર ડિપ્લોમેટ રહ્યા છે અને 1972માં પહેલી વાર સીનેટર તરીકે પસંદગી પણ પામ્યા હતા. બાઈડેનનું એક ભારતીય કનેક્શન પણ છે. જેની જાહેરાત તેઓએ પોતે જ થોડા દિવસ પહેલાં કરી હતી. તેઓએ કહ્યું હતું તે હું તો ભારતમાંથી પણ ચૂંટણી લડી શકું છું.
બાઈડેનની નવા રાષ્ટ્રપતિ તરીકેની પસંદગીની શક્યતાઓ
બાઈડેનનું છે ખાસ ભારતીય કનેક્શન, રહેતા હતા પૂર્વજો
હું તો ભારતમાંથી પણ ચૂંટણી લડી શકું છું- બાઈડેન
ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડેન વર્ષ 2013માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા હતા. ત્યારે મુંબઈમાં એક ભાષણમાં તેઓએ પોતાના ભારતીય કનેક્શનને જાહેર કર્યું હતું. તેઓએ કહ્યું કે 1972માં પહેલીવાર સીનેટના સભ્ય બન્યા તો તેઓ મુંબઈમાં રહેતા એક બાઈડનને પત્ર મળ્યો હતો. મુંબઈના બાઈડેને તેમને કહ્યું કે બંનેના પૂર્વજ એક જ છે. આ પત્રમાં એમ પણ કહેવાયું હતું તે તેમના પૂર્વજ 18મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. બાઈડેનને અફસોસ પણ કર્યો કે તેમને આ વિશે ખાસ કંઈ ખ્યાલ નથી.
જ્યારે બાઈડેને કહ્યું - હું તો ભારતમાંથી પણ ચૂંટણી લડી શકું છું
2015માં વોશિંગ્ટનમાં ઈન્ડો- યૂએસ ફોરમની બેઠકમાં તેઓએ પોતાના ભારતીય કનેક્શનને જાહેર કર્યું હતું. તેઓએ કહ્યું કે શક્ય છે કે તેમના પૂર્વજોએ એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો પરિવાર હજુ પણ ત્યાં છે. તેઓએ કહ્યું કે મુંબઈમાં ત્યારે બાઈડેન સરનેમના 5 લોકો હતા.જેમને વિશે એક પત્રકારે તેમને માહીતી આપી હતી. ત્યારે તેઓએ હસીને કહ્યું હતું કે હું તો ભારતમાંથી પણ ચૂંટણી લડી શકું છું.
અત્યાર સુધી 6 વાર રહી ચૂક્યા છે સીનેટર
બાઈડેને બરાક ઓબામાના રાષ્ટ્રપતિના સમયે 47મા ઉપરાષ્ટ્રપતિનું પજ સંભાળ્યું હતું. જો બાઈડેન અમેરિકાના ઈતિહાસમાં 5મા સૌથી યુવા સીનેટર હતા. તેમની ઉંમક 78 વર્ષની છે. જો બાઈડેનના નામથી જાણીતા બાઈડેનનું નામ ઘણા ઓછા લોકો જાણે છે. તેમનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડેન જૂનિયર છે. તેમનો જન્મ અમેરિકાના પેન્સિલવેનિયાના સ્કૈંટનમાં થયો હતો.
કાર અકસ્માતમાં પત્ની અને દીકરીનું થયું મોત
બાઈડેનના ફેમિલિનો ઈતિહાસ દુઃખદાયક છે. 1972મામં એક કાર દુર્ઘટનામાં બાઈડેનની પહેલી પત્ની અને તેમની દીકરીનું મોત નીપજ્યું હતું. તે આ આઘાતથી બહાર આવ્યા ન હતા કે 2015માં તેમના દીકરાનું બ્રેન કેન્સરથી મોત થયું. આ ઘટનાઓએ તેમને હચમચાવી દીધા હતા. તેનો પ્રભાવ તેમના વિચારો પર પડ્યો., આ કારણે તેઓએ રાષ્ટ્રપતિ ચૂટણીમાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે.