અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધનો અંત ભારત માટે પણ સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાના અંત આવશે તો રોકાણકારોનું જોખમ લેવાનું વલણ રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. દુનિયાભરનાં શેર બજારોએ આ સમચારને ઉછાળા સાથે આવકાર્યા હતા.અને અમેરિકા જ નહીં ભારત સહિત ઘણાં એશિયન બજારો પણ આ સમાચારોથી તેજી જોઇ રહ્યાં છે. ચીન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી, જે બજારના ઉત્સાહને જોતાં થોડું વિચિત્ર લાગે છે. પરંતુ અમેરિકાનું મીડિયા કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. હવે તેની સત્તાવાર જાહેરાત જ બાકી છે.
બંને દેશો વચ્ચેના પ્રથમ વેપાર સોદા પર પણ સંમતિ બની
ટ્રેડ વોરથી સરવાળે બંને દેશોને નુકસાન થયું
અમેરિકન સૂત્રો એમ પણ કહે છે કે બંને દેશો વચ્ચેના પ્રથમ વેપાર સોદા પર પણ સંમતિ બની ગઇ હતી. આ અંતર્ગત ચીનમાંથી આયાત થનારી ૧૬૦ અબજ ડોલરની ચીજો પરથી આયાત ડ્યૂટી મુલતવી રાખવામાં આવશે. જે ઉત્પાદનોનો સમાવેશ થવાનો હતો તેમાં ફૂટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને રમકડાં સામેલ હતાં. ચીનથી આવતા માલ પર પહેલેથી લાદવામાં આવેલી આયાત ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવશે તેમ કહેવાઇ રહ્યું છે.
કેટલાક નિષ્ણાતો આ માટે દોષનો ટોપલો સીધો ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળે છે
સામ પક્ષે ચીન પણ આગામી વર્ષે યુએસથી પ૦ અબજ ડોલરની કૃષિ પેદાશ અને અન્ય વસ્તુઓ ખરીદવા સંમત થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે આ વાટાઘાટો ઓક્ટોબરથી ચાલી રહ્યો હતો.ચીન પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એકદમ આકરું વલણ અપનાવ્યું હતું.જોકે અનેક કારણોથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા કૂણા પડ્યા છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાંક વિરોધાભાસી નિવેદનો પણ કરી દેતા હતા. જેનાથી આશંકાનો માહોલ પણ સર્જાયો હતો.ટ્રમ્પ સ્લો ડાઉનની અસરથી સર્જાયેલી સ્થિતિની ગંભીરતા હવે સમજી રહ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં થોડા સમયથી જોવા મળતી મંદીનું એક મોટું કારણ યુએસ-ચીન વચ્ચ્ના ટ્રેડવોર એટલે કે વેપાર યુદ્ધને પણ આભારી છે. કેટલાક નિષ્ણાતો આ માટે દોષનો ટોપલો સીધો ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળે છે. આઇએમએફનો અંદાજ છે કે આયાત ડયૂટીને હથિયાર બનાવી ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી લડાઇનાં પરિણામે અમેરિકાના વૃદ્ધિમાં ૦.૬ ટકાનો તો ચીનના વૃદ્ધિદરમાં બે ટકાનો ઘટાડો થયો છે.એટલે કે ટ્રેડ વોરથી સરવાળે બંને દેશોને નુકસાન થયું છે અને અનેક દેશોને પણ તેનાથી ધક્કો લાગ્યો છે.
આયાત ડ્યૂટીમાં પ૦ ટકા ઘટાડાથી આ કંપનીઓને દર મહિને ર.પ અબજ ડોલરની બચત થશે
ટ્રેડવોરના કારણે ચીને અમેરિકાથી કૃષિ પેદાશોની ખરીદી બંધ કરી દીધી હતી. અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા અમેરિકાની કૃષિ પેદાશોની નિકાસ ગત વર્ષમાં રપ અબજ ડોલરથી ઘટીને સાત અબજ ડોલર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાના ડેટા અનુસાર, અમેરિકન કંપનીઓ ચાઇનીઝ માલની આયાત પર તેમની સરકારને દર મહિને પાંચ અબજ ડોલરની આયાત ડ્યૂટી ચૂકવે છે. આયાત ડ્યૂટીમાં પ૦ ટકા ઘટાડાથી આ કંપનીઓને દર મહિને ર.પ અબજ ડોલરની બચત થશે. જોકે, બંને દેશો વચ્ચેના વેપાર યુદ્ધનો અંત ભારત માટે પણ સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાના અંત આવશે તો રોકાણકારોનું જોખમ લેવાનું વલણ રહેશે. જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે આ વલણ ત્યારે જ જોવામાં આવશે જ્યારે બંને દેશો વચ્ચેનું ટ્રેડ વોર સંપૂર્ણ પણે સમાપ્ત થશે. હજુ પણ આશંકાઓ છે કે બંને દેશો વચ્ચ્નો વિવાદ ખરેખર સમાપ્ત થયો છે કે કેમ? અને થયો હોય તો પહેલા જેવી સ્થિતિ થતાં કેટલો સમય લાગશે?