સીડીસીએ ચેતવણી આપી છે કે સંક્રામક સ્ત્રોત કેટલીક પરિસ્થિતિમાં 6 ફીટથી વધારે દૂર હોવા છતાં પણ હવાની મદદથી વાયરસ ફેલાઈ શકે છે. ખાસ કરીને ઘરમાં.
સીડીસીએ ચેતવણી આપી
6 ફીટથી વધારે દૂર સુધી ફેલાઈ શકે છે વાયરસ
હવાની મદદથી દૂર સુધી જાય છે વાયરસ
યૂએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન એટલે કે સીડીસીએ કોરોના વાયરસના પ્રસાર સાથે જોડાયેલી પોતાની સાર્વજનિક ગાઈડન્સને અપડેટ કરી છે. નવા આદેશ અનુસાર કોરોના વાયરસ સંક્રમણ હવામાં 6 ફીટથી વધારે દૂર સુધી જઈ શકે છે. આ સાથે લોકો તરત જ શ્વાસના કણો, એરોસોલાઈઝ્ડ કણ અને સીધા છાંટા, સ્પ્રે, દૂષિત હાથ, નાક કે આંખને અડવાથી પણ સંક્રમિત થાય છે. મળતી માહિતી અનુસાર હવામાં શ્વાસ લેવામાં નાના કણ અને એરોસોલ કણ હોય છે જે સંક્રામક વાયરસ હોય છે. ટ્રાન્સમિશનના જોખમ સંક્રમક સ્ત્રોતના 3-6 ફૂટ સુધી સૌથી વધારે રહે છે અને અહીં થોડા કણોથી પણ તેનાથી વધારે દૂર સુધી વાયરસ ફેલાય છે.
હવામાં છ ફીટથી દૂર સુધી ફેલાય છે કોરોના વાયરસ
ચેતવણી આપવામાં આવી છે કે સંક્રામક સ્ત્રોત કેટલીક સ્થતિમાં 6 ફીટથી પણ વધારે દૂર હોવાની સ્થિતિમાં વાયરસને ફેલાવે છે. મોટા પાયે ઘરમાં. સંક્રામક વ્યક્તિ કેટલોક સમય એટલે કે 15 મિનિટથી વધારે અને કેટલાક કેસમાં કલાક સુધી ઘરમાં રહે તો પણ સંક્રમણ ફેલાવે છે. તેનાથી હવામાં વાયરસની અસર 6 ફીટ સુધી લોકોમાં સંક્રમણ ફેલાવવા માટે પૂરતી છે. કેટલાક કેસમાં સંક્રામક વ્યક્તિના બાદ તે જગ્યાથી પસાર થનારા લોકોમાં સંક્રમણનો ખતરો વધે છે.
લેંસેટ રિપોર્ટમાં કહેવાઈ હતી આ વાત
લેંસેટના રિપોર્ટમાં કહેવાયું છે કે આ વાતને સાબિત કરવાનું મજબૂત સાક્ષ્ય છે કે કોરોના મહામારીને માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસ હવાની મદદથી ફેલાય છે. હાલમાં બ્રિટન, અમેરિકા અને કેનેડાની સાથે સંબંધિત 6 વિશેષજ્ઞોએ કહ્યું કે બીમારીના ઉપયાર સંબંધી પગલા વિફળ રહ્યા છે. કેમકે વાયરસ ખાસ કરીને હવાથી ફેલાય છે.
બીજી લહેરમાં ભારતમાં પહેલીવાર 4187 દર્દીના મોત
દેશમાં 24 કલાકમાં કોરોનાથી પહેલી વાર રેકોર્ડ બ્રેક મોત થયા છે. અહીં 24 કલાકમાં 4187 દર્દીના મોત થયા છે. દર્દીના મોતનો આંક 2,38,270 થયો છે. જ્યારે 4,01,078 નવા કેસ આવ્યા છે. આ સાથે સંક્રમણનો કુલ આંક 2,18,92,676 પહોંચી ચૂક્યો છે.