અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશોનું વાર્ષિક બ્લેકલિસ્ટ જાહેર કર્યું છે. તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરવાના પગલાંને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એકતરફી અને મનમાની ગણાવ્યું છે.
બ્લેકલિસ્ટ કરવાના મુદ્દે વિવાદ
પાકિસ્તાન સતત 2 વર્ષથી આ બ્લેકલિસ્ટમાં
ભારતના નામને લઈને પણ પાકિસ્તાને સર્જ્યો વિવાદ
અમેરિકાએ 2017માં પહેલીવાર પાકિસ્તાનનું નામ બ્લેક લિસ્ટમાં રાખ્યું
પાકિસ્તાન સતત 2 વર્ષથી આ લિસ્ટમાં છે. અમેરિકી રિપોર્ટમાં પાકિસ્તાન સહિત 9 દેશોમાં ધાર્મિક આઝાદીના વ્યવસ્થિત રીતે ઉલ્લંઘન જાહેર રાખવાને લઈને ચિંતાજનક સ્થિતિ ગણાવી છે. ગયા વર્ષે બ્લેકલિસ્ટ થયેલા દેશોમાંથી ફક્ત સૂડાનનું નામ આ વખતે નથી. પાકિસ્તાનમાં દશકોથી અલ્પસંખ્યકની સાથે ભેદભાવ અને ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે, જો કે અમેરિકાએ 2017માં પહેલીવાર પાકિસ્તાનનું નામ બ્લેક લિસ્ટમાં રાખ્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું કે પાકિસ્તાનનું નામ એ દેશોના લિસ્ટમાં સામેલ છે જેણે ધાર્મિક આઝાદીને લઈને પ્રતિબંધિત કરાવવામાં આવે.
અમેરિકી પ્રતિનિધિમંડળ નક્કી દેશોને ટારગેટ કરી રહ્યું છે
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે આ જાહેરાત પાકિસ્તાનની જમીની હકીકતથી દૂર છે એટલું જ નહીં પણ આખી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો સર્જે છે. અમેરિકી પ્રતિનિધિમંડળ નક્કી દેશોને ટારગેટ કરી રહ્યું છે અને તેનાથી ફક્ત ધાર્મિક આઝાદીના હેતુને પૂરા કરવામાં મદદ મળશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહી આ વાત
પાકિસ્તાન ધાર્મિક વિવિધતાઓનો દેશ છે. જ્યાં દરેક ધર્મના લોકો સંવૈધાનિક સુરક્ષાના આધારે ધાર્મિક આઝાદીનો આનંદ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનની કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા દરેક સ્તંભ માટે નક્કી કરવાની કોશિશ કરી છે કે પાકિસ્તાનના દરેક નાગરિકોને તેમના ધર્મ, જાતિ, રંગના આધારે ભેદભાવ કર્યા વિના ધાર્મિક ક્રિયાઓને કરવાની આઝાદી મળે. દેશની ન્યાયપાલિકાએ દેશના અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણયો પણ આપ્યા છે.
ભારતનું નામ આ લિસ્ટમાં સામેલ કરાયું નથી
પાકિસ્તાનને આ વાતમાં પણ મરચાં લાગ્યા છે અને અમેરિકાએ ભારતને બ્લેકલિસ્ટ કર્યા નથી. પાકિસ્તાનને પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રાલયનો પૂર્વગ્રહ આનાથી જોવા મળી રહ્યો છે. જાણી જોઈને ભારતનું નામ આ લિસ્ટમાં સામેલ કરાયું નથી. જ્યારે અમેરિકા કોંગ્રેસ અને 70 અમેરિકી સાંસદોએ સાર્વજનિક રીતે પણ કાશ્મીરીઓના મૂળ અધિકારને નિલંબિત કરવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ફક્ત અંદરોદરના સહયોગથી જ તેનું સમાધાન આવી શકે છે
પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યું કે નાગરિકતા કાયદો અને એનઆરસીનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે ભારત સરકાર અલ્પસંખ્યકોની સાથે ભેદભાવ કરી રહી છે. પાકિસ્તાને અમેરિકા ઉપર પણ ઈશારો કર્યો છે અને કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા વૈશ્વિક સમસ્યા છે અને ફક્ત અંદરોદરના સહયોગથી જ તેનું સમાધાન આવી શકે છે. પાકિસ્તાને પોતાની જવાબદારી નિભાવતાં કહ્યું કે અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોમાં વધતા ઇસ્લામોફોબિયાને લઈને ચિંતા કરવામાં આવી રહી છે. ધાર્મિક આઝાદીને વેગ અને સુરક્ષા આપવા માટે ભરોસો અને સમજદારીના માહોલમાં એકસાથે કામ કરવું એ જ સારો ઉપાય છે.