નાગરિકતા સંશોધન કાયદાને લઇને પૂર્વોત્તર રાજ્યમાં વિરોધ પ્રદર્શન હિંસક જોવા મળી રહ્યું છે. પૂર્વોત્તરમાં ભારતમાં વિશેષ આસામ અને ત્રિપુરામાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન વધુ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
પૂર્વોત્તરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ઘણી જગ્યાઓ પર હિંસક પ્રદર્શન
અમેરિકા-ફ્રાંસે પોતાના નાગરિકો માટે એડવાઝરી જારી કરી
ભારતમાં નાગરિકાત કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનને ધ્યાનમાં લેતા અમેરિકા અને ફ્રાંસે પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. જેમાં પોતાના દેશના નાગરિકોને આસામ ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે હાલમાં આસામમાં શાંતિ અને ગુવાહાટીમાં લગાલેવા કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.
આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ જણાવામાં આવ્યું હતું કે તેઓ ભારતના નાગરિકતા સંશોધન કાયદાના પ્રભાવની સમીક્ષા કરી રહ્યાં છે. મહાસચિવ અંતાનિયો ગુતેરેસના ઉપપ્રવક્તા ફરહાન હકે આ અંગેની જાણકારી આપી હતી.
ઉપપ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને આ વાતની જાણકારી છે ભારતીય સંસદના ઉપરના અને નિચેના સદનમાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળી ગઇ છે અને અમે આ સંબંધમાં સાર્વજનિક રીતે વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાથી વાકેફ છીએ.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનની અસરા ભારત-જાપાન વચ્ચેના શિખર સંમેલન પણ જોવા મળી છે. આ શિખર સંમેલન આસામના ગુવાહાટીમાં રવિવારે યોજાવાની હતી. જેમાં જાપાનના પીએમ શિંજો આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક પણ યોજાવાની હતી પરંતુ અંતે આ બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે.