અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે તહેરાનમાં યુક્રેનનું યાત્રી વિમાન ઉડતાંની સાથે જ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ વિમાની દુર્ઘટનામાં ૧૭૬ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. હવે અમેરિકા અને કેનેડાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો છે. બંને દેશોએ ઇરાન પર તેને તોડી પાડયાનો આક્ષેપ કર્યો છે.
અમેરિકા પણ તપાસમાં સામેલ થશેઃ ઇરાને પુરાવા માગ્યા
અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે તહેરાનમાં યુક્રેનનું યાત્રી વિમાન ઉડતાંની સાથે જ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ વિમાની દુર્ઘટનામાં ૧૭૬ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. હવે અમેરિકા અને કેનેડાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો છે. બંને દેશોએ ઇરાન પર તેને તોડી પાડયાનો આક્ષેપ કર્યો છે. યુક્રેને પણ ઘટનાની તપાસ માટે કોઇ પણ શરત વગર સહયોગ માગ્યો છે.
ઇરાને આક્ષેપોને ફગાવતાં તેને અફવા ગણાવી છે. ઇરાન તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે જે સમયે આ ઘટના ઘટી તે સમયે અન્ય ફલાઇટ પણ એજ ઊંચાઇ પર ઊડી રહી હતી. અમે યુક્રેન સાથે વિમાનના બ્લેક બોકસની તપાસ કરી રહ્યા છીએ. જો જરૂર પડશે તો અમે તેના ડેટા ફ્રાન્સ કે અન્ય દેશમાં પણ વિશ્લેષણ કરાવવા તૈયાર છીએ.
ઇરાને તપાસ માટે બોઇંગના દળને પણ આમંત્રિત કર્યું છે. ગઇ કાલે બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે એ વાતની શકયતાઓ વધુ છે કે યુક્રેનના વિમાનને ઇરાને જમીનથી હવામાં માર કરનારી મિસાઇલથી તોડી પાડયું હોય. ઇરાને અમેરિકી ડ્રોન હુમલામાં પોતાના સેન્ય કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીને ગુમાવ્યા બાદ ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણં પર થયેલા મિસાઇલ હુમલાના થોડા જ કલાકો બાદ આ દુર્ઘટના થઇ.
કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ કહ્યું કે અમારી પાસે ગુપ્ત જાણકારી છે કે વિમાનને હવામાં પ્રહાર કરનારી ઇરાનની મિસાઇલથી તોડી પડાયું છે. કેનેડાના પીએમએ આ ઘટનાની પૂરતી તપાસ કરવાની માગણી કરી છે. અમેરિકી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડે કહ્યું કે તેઓ યુક્રેનના બોઇંગ વિમાન દુર્ઘટનાની તપાસમાં સામેલ થશે જે ઇરાનની રાજધાની તહેરાનમાં ક્રેશ થયું હતું.